Junagadh: મહાશિવરાત્રીના મેળાને લઇ તડામાર તૈયારી, શ્રદ્ધાળુઓ માટે કેવી રહેશે વ્યવસ્થા?

Feb 19, 2025 - 17:00
Junagadh: મહાશિવરાત્રીના મેળાને લઇ તડામાર તૈયારી, શ્રદ્ધાળુઓ માટે કેવી રહેશે વ્યવસ્થા?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જૂનાગઢમાં યોજાતા મહાશિવરાત્રીના મેળાને લઈને આજે વહીવટી તંત્ર સાધુ-સંતો સાથે તમામ અધિકારીઓની એક બેઠક યોજાઈ હતી જેમાં સાધુ સંતો દ્વારા મેળામાં વિવિધ સુવિધાઓ માં વધારો કરવાની રજૂઆતો કરવામાં આવી હતી.

મહાશિવરાત્રીના મેળાને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મેળામાં આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તેમ જ ઉતારા મંડળ અને સાધુ-સંતોની સગવડતા માટે અલગ અલગ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે તેને લઈને સાધુ સંતો અને અલગ અલગ વિભાગના અધિકારીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શિવરાત્રીના મેળામાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે તેને લઈને પાણીની વ્યવસ્થા વધુ ને વધુ કરવામાં આવે તેવી સાધુ સંતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેને લઇને વહીવટી તંત્ર દ્વારા દરેક ઉતારા અને અલગ અલગ વિસ્તારોમાં પાણીની પૂરતો વ્યવસ્થા ઉભી કરવામાં આવશે તેવી ખાતરી પણ આપી હતી.

શિવરાત્રીના મેળામાં આવશે વહીવટી તંત્ર દ્વારા મેળામાં આવતા શ્રદ્ધાળુઓ ઉપર રિસર્ચ કરવામાં આવશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા મેળામાં આવતા શ્રદ્ધાઓને શું મેળાથી ફાયદો થાય છે કે તે અંગે અભ્યાસ કરવામાં આવશે તેવી જાહેરાત જૂનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવી છે ઉપરાંત મેળાને લઈને જરૂરી તમામ સુવિધાઓ કરવામાં આવશે અને વન વિભાગ દ્વારા પણ મેળાને લઈને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

આગામી 22 તારીખથી શરૂ થતા શિવરાત્રી મેળાને લઈને વહીવટી તંત્ર અને સાધુ સંતોની બેઠકમાં મહત્વના સૂચનો અને રજૂઆતો કરવામાં આવી હતી જેને લઇને વહીવટી તંત્ર દ્વારા લાગતા વળગતા વિભાગના અધિકારીઓને તમામ સુવિધાઓ પૂરી કરવા સૂચના આપવામાં આવી હતી.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0