Junagadh: ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાને લઇ મોટા સમાચાર

ગણેશ જાડેજાએ HCમાંથી જામીન અરજી પરત ખેંચી પોલીસે 4500 પાનાની ચાર્જશીટ કોર્ટમાં કરી છે રજૂ આરોપીએ સેશન્સ કોર્ટમાં કરવી પડશે જામીન અરજીઆરોપી ગણેશ જાડેજાને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગણેશ જાડેજાએ HCમાંથી જામીન અરજી પરત ખેંચી છે. પોલીસે 4500 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે. તેમાં આરોપીએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવી પડશે. ગણેશ જાડેજાને લઈને પોલીસે ડિવિઝન અરજી કરી છે. તેમજ રિમાન્ડ મેળવવા HCમાં ડિવિઝન અરજી દાખલ કરાઇ છે. તેમાં 19 સપ્ટેમ્બરના રોજ સુનાવણી થશે. ગણેશ જાડેજાએ હાઇકોર્ટમાંથી જામીન અરજી પરત ખેંચી જુનાગઢના ગણેશ જાડેજાને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગણેશ જાડેજાએ હાઇકોર્ટમાંથી જામીન અરજી પરત ખેંચી છે. અગાઉ જૂનાગઢના દલિત આગેવાન રાજુ સોલંકીની ગુજસીટોક હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. જેમાં રાજુ સોલંકી સહિત ચાર વ્યક્તિઓની આ ગુનામાં ધરપકડ થઈ હતી. જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચનાથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં રાજુ સોલંકીની ધરપકડ મુદ્દે સોલંકીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, મને અને મારા પરિવારજનોને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. જયરાજસિંહ જાડેજાએ મને સમાધાન કરવા દબાણ કર્યું હતુ. જેથી મેં સમાધાન કરવાની ના કહેતા મારી સામે ખોટી રીતે પોલીસ કાર્યવાહી થઇ રહી છે. જાણો સમગ્ર મામલો NSUI શહેર પ્રમુખના અપરહણનો કેસમાં મુખ્ય આરોપી અને ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાનો પુત્ર ગણેશ જાડેજા જેલમાં છે. જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગણેશ જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ગોંડલથી ગણેશ સહિત અન્ય ત્રણ આરોપીઓને પકડી પાડ્યા હતા. ગણેશ જાડેજા સહિત 11 લોકો સામે ગુનો નોંધાયો હતો. સમગ્ર કેસમાં ક્રાઈમ બ્રાન્ચ ખાતે ગણેશ જાડેજાની પૂછપરછ કરી હતી. આગાઉ આ કેસમાં ગણેશ જાડેજા ગેંગના સાગરીતોની પણ ધરપકડ કરવામાં આવી હતી. તેમજ ગણેશ જાડેજા ફરાર હતો. જેમાં તેની ધરપકડ થઇ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, NSUI પ્રમુખ સંજય સોલંકીને માર મારવાનો મામલો ચર્ચામાં આવ્યો હતો. જેમાં જુનાગઢના ગોંડલના ધારાસભ્ય ગીતાબા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સામે ફરિયાદ થઇ હતી. જેમા ગણેશ ગેંગના 3 સાગરીતોને જુનાગઢ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ગેંગ દ્વારા NSUI પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરવામાં આવ્યું હોવાનો આરોપ હતો. તારીખ 30 મેની રાત્રે ગોંડલ ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને તેના સાગરીતો દ્વારા જુનાગઢ જીલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખના પુત્ર અને શહેર NSUI પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરવા મામલે ફરિયાદ થઇ છે.

Junagadh: ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજાને લઇ મોટા સમાચાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ગણેશ જાડેજાએ HCમાંથી જામીન અરજી પરત ખેંચી
  • પોલીસે 4500 પાનાની ચાર્જશીટ કોર્ટમાં કરી છે રજૂ
  • આરોપીએ સેશન્સ કોર્ટમાં કરવી પડશે જામીન અરજી

આરોપી ગણેશ જાડેજાને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગણેશ જાડેજાએ HCમાંથી જામીન અરજી પરત ખેંચી છે. પોલીસે 4500 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે. તેમાં આરોપીએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવી પડશે. ગણેશ જાડેજાને લઈને પોલીસે ડિવિઝન અરજી કરી છે. તેમજ રિમાન્ડ મેળવવા HCમાં ડિવિઝન અરજી દાખલ કરાઇ છે. તેમાં 19 સપ્ટેમ્બરના રોજ સુનાવણી થશે.

ગણેશ જાડેજાએ હાઇકોર્ટમાંથી જામીન અરજી પરત ખેંચી

જુનાગઢના ગણેશ જાડેજાને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગણેશ જાડેજાએ હાઇકોર્ટમાંથી જામીન અરજી પરત ખેંચી છે. અગાઉ જૂનાગઢના દલિત આગેવાન રાજુ સોલંકીની ગુજસીટોક હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. જેમાં રાજુ સોલંકી સહિત ચાર વ્યક્તિઓની આ ગુનામાં ધરપકડ થઈ હતી. જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચનાથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં રાજુ સોલંકીની ધરપકડ મુદ્દે સોલંકીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, મને અને મારા પરિવારજનોને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. જયરાજસિંહ જાડેજાએ મને સમાધાન કરવા દબાણ કર્યું હતુ. જેથી મેં સમાધાન કરવાની ના કહેતા મારી સામે ખોટી રીતે પોલીસ કાર્યવાહી થઇ રહી છે.

જાણો સમગ્ર મામલો

NSUI શહેર પ્રમુખના અપરહણનો કેસમાં મુખ્ય આરોપી અને ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાનો પુત્ર ગણેશ જાડેજા જેલમાં છે. જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગણેશ જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ગોંડલથી ગણેશ સહિત અન્ય ત્રણ આરોપીઓને પકડી પાડ્યા હતા. ગણેશ જાડેજા સહિત 11 લોકો સામે ગુનો નોંધાયો હતો. સમગ્ર કેસમાં ક્રાઈમ બ્રાન્ચ ખાતે ગણેશ જાડેજાની પૂછપરછ કરી હતી. આગાઉ આ કેસમાં ગણેશ જાડેજા ગેંગના સાગરીતોની પણ ધરપકડ કરવામાં આવી હતી. તેમજ ગણેશ જાડેજા ફરાર હતો. જેમાં તેની ધરપકડ થઇ ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, NSUI પ્રમુખ સંજય સોલંકીને માર મારવાનો મામલો ચર્ચામાં આવ્યો હતો. જેમાં જુનાગઢના ગોંડલના ધારાસભ્ય ગીતાબા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સામે ફરિયાદ થઇ હતી. જેમા ગણેશ ગેંગના 3 સાગરીતોને જુનાગઢ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ગેંગ દ્વારા NSUI પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરવામાં આવ્યું હોવાનો આરોપ હતો. તારીખ 30 મેની રાત્રે ગોંડલ ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને તેના સાગરીતો દ્વારા જુનાગઢ જીલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખના પુત્ર અને શહેર NSUI પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરવા મામલે ફરિયાદ થઇ છે.