Himmatnagar: ગટર ખુલ્લી હોવાથી કાર ખાબકી ખાડામાં, વાહન ચાલકો પરેશાન
હિંમતનગરમાં સામાન્ય વરસાદમાં ભરાયા પાણી7 વર્ષથી તંત્ર સહિત કોર્પોરેટરને રજૂઆત છતાં કોઈ પરિણામ નહીં ગટરો ખુલ્લી રહેતા વાહન ચાલકો પરેશાન સાબરકાંઠા સહિત રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. ત્યારે હિંમતનગરમાં પણ સામાન્ય વરસાદમાં જ વરસાદી પાણી ભરાયા છે. હિંમનગરના મોતીપુરા વિસ્તારમાં ગયા વર્ષ જેવી જ પરિસ્થિતી યથાવત છે, તેમાં કોઈ પણ પ્રકારનો સુધારો જોવા મળ્યો નથી. કાર ખાબકી ખાડામાં ત્યારે વરસાદમાં ગટરલાઈન ખુલ્લી હોવાના કારણે એક કાર ખાડામાં ખાબકી છે. છેલ્લા 7 વર્ષથી તંત્ર સહિત કોર્પોરેટર, એમપી અને સ્થાનિક ધારાસભ્યને કેટલીક વખત રજૂઆતો કરી હોવા છતાં કોઈ પણ પ્રકારનું પરીણામ મળ્યું નથી અને સ્થાનિકો લોકો તંત્ર સામે રોષે ભરાયા છે અને કહી રહ્યા છે કે ચૂંટણી ટાણે જ તમામ નેતા અને આગેવાનો વિસ્તારમાં જોવા મળતા હોય છે, મત લીધા બાદ તો વિસ્તારમાં ફરકતા પણ નથી. લોકોમાં જોવા મળ્યો આક્રોશ આવી ખુલ્લી ગટરોના કારણે લોકોના જીવને મોટુ જોખમ રહેલુ છે, તેમ છતાં કોઈ કામગીરી કરવામાં ના આવતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે ઝડપથી આ કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી સ્થાનિકોની માગ છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- હિંમતનગરમાં સામાન્ય વરસાદમાં ભરાયા પાણી
- 7 વર્ષથી તંત્ર સહિત કોર્પોરેટરને રજૂઆત છતાં કોઈ પરિણામ નહીં
- ગટરો ખુલ્લી રહેતા વાહન ચાલકો પરેશાન
સાબરકાંઠા સહિત રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. ત્યારે હિંમતનગરમાં પણ સામાન્ય વરસાદમાં જ વરસાદી પાણી ભરાયા છે. હિંમનગરના મોતીપુરા વિસ્તારમાં ગયા વર્ષ જેવી જ પરિસ્થિતી યથાવત છે, તેમાં કોઈ પણ પ્રકારનો સુધારો જોવા મળ્યો નથી.
કાર ખાબકી ખાડામાં
ત્યારે વરસાદમાં ગટરલાઈન ખુલ્લી હોવાના કારણે એક કાર ખાડામાં ખાબકી છે. છેલ્લા 7 વર્ષથી તંત્ર સહિત કોર્પોરેટર, એમપી અને સ્થાનિક ધારાસભ્યને કેટલીક વખત રજૂઆતો કરી હોવા છતાં કોઈ પણ પ્રકારનું પરીણામ મળ્યું નથી અને સ્થાનિકો લોકો તંત્ર સામે રોષે ભરાયા છે અને કહી રહ્યા છે કે ચૂંટણી ટાણે જ તમામ નેતા અને આગેવાનો વિસ્તારમાં જોવા મળતા હોય છે, મત લીધા બાદ તો વિસ્તારમાં ફરકતા પણ નથી.
લોકોમાં જોવા મળ્યો આક્રોશ
આવી ખુલ્લી ગટરોના કારણે લોકોના જીવને મોટુ જોખમ રહેલુ છે, તેમ છતાં કોઈ કામગીરી કરવામાં ના આવતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે ઝડપથી આ કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી સ્થાનિકોની માગ છે.