Gujarat Palika Election 2025 : ઘાટલોડીયા પોલીસે મતદાન મથક સુધી વૃદ્ધોને પહોંચાડયાં

આજ રોજ અમદાવાદ મહાનગરપાલિકા ઘાટલોડીયા વોર્ડ નંબર:૦૭ ની પેટા ચૂંટણીમાં ઘાટલોડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અલગ-અલગ મતદાન મથકો પર ફરજ પરના હાજર પોલીસ કર્મચારીઓ દ્વારા ચાલવામાં અશક્ત અને સિનિયર સિટીઝન મતદાતાઓને મતદાન મથક સુધી પહોંચાડી માનવતાવાદી અને ઉમદા કામગીરી કરવામાં આવી હતી. ઘાટલોડિયાના ભાજપના ઉમેદવારે કર્યુ મતદાન રાજ્યમાં આજે 16 ફેબ્રુઆરીને રવિવારના રોજ સ્થાનિક સ્વરાજ્યની અને પેટાચૂંટણીઓ યોજાઈ છે. અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘાટલોડિયા વોર્ડની પણ આજે પેટાચૂંટણી યોજાઈ છે. વહેલી સવારથી જ મતદાતાઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે. ભાજપના ઉમેદવાર પ્રવિણ અંબાલાલ પટેલ અને અમદાવાદના ડેપ્યુટી મેયર જતીન પટેલે પણ પરિવાર સાથે મતદાન કર્યું છે. લોકો વહેલી સવારથી મતદાન માટે પહોંચ્યા હતાં. કુલ 2178 બેઠકોમાંથી 203 બેઠકો બિનહરીફ જાહેર એક મનપા, 66 નગરપાલિકાઓ માટે મતદાન યોજાયું છે,મતદાન,સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10168 ઉમેદવાર મેદાને,પાલિકા-પંચાયતોની 1962 બેઠક માટે ચૂંટણી યોજાઈ રહી છે,કુલ 2178 બેઠકોમાંથી 203 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે,203માંથી ભાજપના 195 ઉમેદવારો બિનહરીફ જાહેર,કોંગ્રેસના 3 અને અપક્ષના 5 ઉમેદવારો બિનહરીફ,ભાજપના 195માંથી 21 મુસ્લિમ ઉમેદવાર બિનહરીફ,કુલ 4033 મતદાન મથકો ઉપર ચૂંટણીનું આયોજન છે,જેમાં 836 સંવેદનશીલ, 153 અતિસંવેદનશીલ મથકો,કાલે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે,18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે.

Gujarat Palika Election 2025 : ઘાટલોડીયા પોલીસે મતદાન મથક સુધી વૃદ્ધોને પહોંચાડયાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આજ રોજ અમદાવાદ મહાનગરપાલિકા ઘાટલોડીયા વોર્ડ નંબર:૦૭ ની પેટા ચૂંટણીમાં ઘાટલોડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અલગ-અલગ મતદાન મથકો પર ફરજ પરના હાજર પોલીસ કર્મચારીઓ દ્વારા ચાલવામાં અશક્ત અને સિનિયર સિટીઝન મતદાતાઓને મતદાન મથક સુધી પહોંચાડી માનવતાવાદી અને ઉમદા કામગીરી કરવામાં આવી હતી.

ઘાટલોડિયાના ભાજપના ઉમેદવારે કર્યુ મતદાન

રાજ્યમાં આજે 16 ફેબ્રુઆરીને રવિવારના રોજ સ્થાનિક સ્વરાજ્યની અને પેટાચૂંટણીઓ યોજાઈ છે. અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘાટલોડિયા વોર્ડની પણ આજે પેટાચૂંટણી યોજાઈ છે. વહેલી સવારથી જ મતદાતાઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે. ભાજપના ઉમેદવાર પ્રવિણ અંબાલાલ પટેલ અને અમદાવાદના ડેપ્યુટી મેયર જતીન પટેલે પણ પરિવાર સાથે મતદાન કર્યું છે. લોકો વહેલી સવારથી મતદાન માટે પહોંચ્યા હતાં.


કુલ 2178 બેઠકોમાંથી 203 બેઠકો બિનહરીફ જાહેર

એક મનપા, 66 નગરપાલિકાઓ માટે મતદાન યોજાયું છે,મતદાન,સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 10168 ઉમેદવાર મેદાને,પાલિકા-પંચાયતોની 1962 બેઠક માટે ચૂંટણી યોજાઈ રહી છે,કુલ 2178 બેઠકોમાંથી 203 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે,203માંથી ભાજપના 195 ઉમેદવારો બિનહરીફ જાહેર,કોંગ્રેસના 3 અને અપક્ષના 5 ઉમેદવારો બિનહરીફ,ભાજપના 195માંથી 21 મુસ્લિમ ઉમેદવાર બિનહરીફ,કુલ 4033 મતદાન મથકો ઉપર ચૂંટણીનું આયોજન છે,જેમાં 836 સંવેદનશીલ, 153 અતિસંવેદનશીલ મથકો,કાલે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે,18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે.