Gujarat News: રાજ્યમાં હાલમાં 158 બ્રિજનું સમારકામ ચાલુ , 20 બ્રિજ ભારે વાહનો માટે સંપૂર્ણ બંધ

Jul 23, 2025 - 21:30
Gujarat News: રાજ્યમાં હાલમાં 158 બ્રિજનું સમારકામ ચાલુ , 20 બ્રિજ ભારે વાહનો માટે સંપૂર્ણ બંધ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ તૂટવાની ઘટના બન્યા બાદ તંત્ર સફાળુ જાગ્યું હતું અને રાજ્યના અન્ય બ્રિજોની ચકાસણી શરૂ કરી હતી. આ ઉપરાંત બ્રિજોના સમારકામની પણ કામગીરી શરૂ કરાઈ હતી. હાલ રાજ્યમાં કૂલ 158 બ્રિજનું સમારકામ ચાલુ છે. જેમાં 10 બ્રિજ સંપૂર્ણ રીતે વાહનવ્યવહાર માટે શરૂ કરી દેવાયા છે. અગાઉ મંજૂર થયેલા 80 બ્રિજ પર સમારકામ ચાલુ છે. બાકી રહેતા 68 બ્રિજ પર ટેસ્ટિંગની પ્રક્રિયા ચાલુ છે. તકેદારીના ભાગરૂપે ભારે વાહનો માટે બ્રિજ બંધ કરાયા હતાં.

રાજ્યભરમાં 20 બ્રિજ ભારે વાહનો માટે સંપૂર્ણ બંધ

રાજ્યમાં હાલમાં 20 બ્રિજ ભારે વાહનો માટે સંપૂર્ણ પણે બંધ કરવામાં આવ્યાં છે. ટેસ્ટિંગની પ્રક્રિયા બાદ સમારકામ કરી ફરી ચાલુ કરાશે.રાજ્યભરમાં હાલ 7,280 મેજર અને માઈનોર બ્રિજ છે. રાજ્યભરમાં સંપૂર્ણ બંધ કરાયેલા 20 બ્રીજ સિવાય બાકી ના બ્રીજ પર ભારે વાહનો સિવાય નો વાહનવ્યવહાર ચાલુ કરાયો છે. રાજ્યમાં 1500 કરતા વધુ મેજર બ્રીજ છે. ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ તકેદારીના ભાગરૂપે ભારે વાહનો માટે બ્રીજ બંધ કરાયા હતાં.

અગાઉ મંજૂર થયેલા 80 બ્રિજ પર સમારકામ ચાલુ

ગંભીરા બ્રિજની ઘટનામાં અનેક લોકો નદીમાં ખાબકતા મોતને ભેટ્યા હતાં. ત્યારબાદ સરકારે બ્રિજની મરામત અને નવા બનાવવા અંગે તંત્રને આદેશ કર્યો હતો. જેને લઈને તંત્રના અધિકારીઓ દોડતા થયા હતાં. અધિકારીઓએ બ્રિજનું ટેસ્ટિંગ શરૂ કર્યું હતું. આ ઉપરાંત જે બ્રિજને સમારકામની જરૂર હોય ત્યાં વાહનવ્યવહાર બંધ કરીને રીપેરીંગની કામગીરી હાથ ધરી હતી. જ્યાં રીપેરીંગની કામગીરી પૂર્ણ થઈ છે તે બ્રિજ પર ફરીવાર વાહનવ્યવહાર પૂર્વવત કરાયો છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0