Gujarat News: એક ઇલેક્શન બાદ બીજા ઇલેક્શનની તૈયારી ચાલે છે જેની અસર વિકાસ પર થાય છે : હર્ષ સંઘવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
વન નેશન, વન ઈલેક્શન અંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, જુદા જુદા રાજ્યોમાં ચૂંટણીઓ યોજાવાને લીધે વન નેશન અને વન ઈલેક્શનના નિર્ણયમાં વિલંબ થઈ રહ્યો છે. દરેક રાજ્ય વર્ષમાં 80 દિવસ સુધી નિર્ણય નથી લઈ શકતું. એક ચૂંટણી બાદ બીજી ચૂંટણીની તૈયારીઓ ચાલે છે. ચૂંટણીની સૌથી મોટી જવાબદારી શિક્ષકોના માથે હોય છે. શિક્ષકો ચૂંટણીની ફરજ પર હોય તો બાળકોના અભ્યાસ પર તેની અસર પડે છે.
જે કોઈ માં ભારતીને નમે છે તેને મોદી ગમે છે
હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું હતું કે, વિશ્વમાં ફ્રાન્સ અને અમેરિકા જેવા દેશોમાં એક સાથે ચૂંટણીઓ થઈ રહી છે. જેનામાં વિદેશી ચીપ લાગેલી છે તે તમામ મુદ્દે વિરોધ કરે છે. વન નેશન, વન ઈલેક્શન દેશ માટે સૌથી મોટુ પરિવર્તન સાબિત થાય તેમ છે. જે કોઈ માં ભારતીને નમે છે તેને મોદી ગમે છે. દેશની આઝાદી બાદ 15-20 વર્ષ સુધી એક સાથે જ ચૂંટણીઓ થતી હતી.
What's Your Reaction?






