Gujarat ATS દ્વારા ઝડપાયેલા અલ-કાયદાના 4 આતંકીઓની તપાસ NIAને સોંપવાનો નિર્ણય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા તાજેતરમાં ઝડપી પાડવામાં આવેલા આતંકી સંગઠન અલ-કાયદા સાથે સંકળાયેલા ચાર આતંકીઓની તપાસ હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને સોંપવામાં આવી છે. આ નિર્ણય સૂચવે છે કે આ મામલાના તાર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી ફેલાયેલા હોઈ શકે છે.
અલકાયદાના 4 આતંકીઓની ATSએ કરી હતી ધરપકડ
ગુજરાત ATSએ આ ચારેય આતંકીઓની ધરપકડ કરીને આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલી તેમની ગતિવિધિઓને અટકાવી હતી. ATSની તપાસમાં ખુલાસો થયો હતો કે આ ઝડપાયેલા આતંકીઓ સક્રિય રીતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને જેહાદી વિચારધારા ફેલાવવાનું કામ કરી રહ્યા હતા. તેઓ યુવાનોને કટ્ટરપંથી બનાવવા અને અલ-કાયદાની વિચારધારા તરફ દોરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
રાષ્ટ્રીય તપાસ એજન્સીને તપાસ સોંપવાનો નિર્ણય
આતંકી સંગઠન સાથે સંકળાયેલા આ આરોપીઓનું નેટવર્ક, તેમની પ્રવૃત્તિઓનો વ્યાપ અને તેમને મળતું ફંડિંગ રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર જોખમ ઊભું કરે છે. આ કારણોસર, કેન્દ્ર સરકારે આ સમગ્ર મામલાની સંવેદનશીલતા અને ઊંડાણપૂર્વક તપાસની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ કેસની તપાસનો હવાલો NIAને સોંપવાનો નિર્ણય કર્યો છે. NIA હવે ATS પાસેથી તમામ દસ્તાવેજો અને પુરાવાઓનો કબજો લઈને આતંકીઓના નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરશે અને તેમની વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરશે.
What's Your Reaction?






