Gandhinagar: થાઈલેન્ડના પ્રતિનિધિ મંડળે રાજ્યમાં બુદ્ધિષ્ટ સર્કિટનો વ્યાપ વધારવા સહયોગની ખાતરી આપી

Jun 18, 2025 - 22:30
Gandhinagar: થાઈલેન્ડના પ્રતિનિધિ મંડળે રાજ્યમાં બુદ્ધિષ્ટ સર્કિટનો વ્યાપ વધારવા સહયોગની ખાતરી આપી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિએ લીધી હતી. થાઇલેન્ડનું એક થાઇ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રતિનિધિમંડળ, સર્વોચ્ચ પિતૃપ્રધાન સોમદેજ ફ્રા થેરાયનમુનિના નેતૃત્વમાં, ભારતની 7 દિવસની મુલાકાતે છે અને ગુજરાતમાં 5 દિવસનો પ્રવાસ કરવાના છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આ મૂલાકાત બેઠકમાં પ્રતિનિધિમંડળે અમદાવાદ ખાતે દુ:ખદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

થાઈલેન્ડનું પ્રતિનિધિમંડળ ગુજરાતની મુલાકાતે

આ પ્રતિનિધિમંડળમાં થાઇલેન્ડના 7 નાગરિકો જેમાં બે સર્વોચ્ચ સાધુઓ, સંઘ સુપ્રીમ કાઉન્સિલ ઓફ થાઇલેન્ડ એબોટ વાટ દેબસિરીન્દ્રવાસનો સમાવેશ થાય છે. થાઇલેન્ડના વડા પ્રધાનના સલાહકાર પ્રોફેસર ટોંગથોંગ ચંદ્રાંસુ પણ આ પ્રતિનિધિમંડળ સાથે ગુજરાત રાજ્યની મુલાકાતે છે. જેમણે રામાયણ અને ભગવાન બુદ્ધના જીવન પરની ટીવી સિરિયલમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી તે ગગન મલિક પણ આ પ્રતિનિધિમંડળમાં જોડાયા છે.વડાપ્રધાન મોદીએ તાજેતરમાં થાઈલેન્ડની મુલાકાત દરમિયાન ગુજરાતના અરવલ્લી જિલ્લામાં દેવની મોરી ખાતે મળેલા ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોને થાઈલેન્ડ પ્રદર્શન માટે મોકલવાની ઘોષણા કરી હતી.

સહયોગ કરવાની ખાતરી આપી

થાઈલેન્ડના પ્રધાનમંત્રીએ પણ ભારતમાં બુદ્ધિષ્ટ સર્કિટનો વ્યાપ વધારવા તેમના તરફથી સહયોગ કરવાની ખાતરી આપી હતી.આ બુદ્ધિષ્ટ સર્કિટમાં ગુજરાતના સ્થળોનો પણ સમાવેશ કરવામાં આવેલો છે.આ સંદર્ભમાં બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુની તા.16 જૂનથી 22મી જૂન દરમિયાન ભારત પ્રવાસે તેમના પ્રતિનિધિ મંડળ સાથે આવેલા છે.આ પ્રવાસ દરમિયાન તા.17 થી 21 જૂન સુધી તેઓ વડોદરા તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને દ્વારિકાની મુલાકાતે જવાના છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિની ગુજરાત મુલાકાત શાંતિ અને સદભાવનો સંદેશ આપનારી બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

પ્રતિનિધિમંડળે ઉત્સુકતા દર્શાવી

વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત - થાઈલેન્ડના સંબંધોનો સેતુ વધુ મજબૂત બનાવવામાં પણ આ મુલાકાત ઉપયુક્ત બનશે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.મુખ્યમંત્રીએ ભારત-થાઈલેન્ડ બેય રાષ્ટ્રોની સાંસ્ક્રતિક એકતા, શાંતિ અને ધમ્મના સહિયારા મૂલ્યોનો સંદર્ભ આપ્યો હતો અને વડાપ્રધાન મોદીએ 2019માં UNGAમાં આપેલા સંદેશમાં જે વાત કહી હતી કે “આપણે એવા દેશના છીએ જેણે વિશ્વને યુદ્ધ નહિ બદ્ધ આપ્યા છે” તેનું પણ સ્મરણ કર્યુ હતું. પ્રતિનિધિમંડળે વડનગરના બૌદ્ધ વારસા, ઝુઆનઝાંગ (હુએન ત્સાંગ) સાથેના જોડાણમાં ઊંડો રસ દાખવ્યો હતો. ખાસ કરીને દેવની મોરીનો ઇતિહાસ અને દેવની મોરી ખાતે મળેલા ભગવાન બુદ્ધના અવશેષો વિશે જાણવા માટે પ્રતિનિધિમંડળે ઉત્સુકતા દર્શાવી હતી.

સ્વામી વિવેકાનંદ સાથેના તેમના ઊંડા જોડાણનો પણ ઉલ્લેખ

પ્રતિનિધિમંડળને દેવની મોરી સ્થળ વિકસાવવા અને ડૂબી ગયેલા સ્તૂપની પ્રતિકૃતિ બનાવવા અને વડાપ્રધાનશ્રી દ્વારા કલ્પના કરાયેલી દેવની મોરીને વૈશ્વિક બૌદ્ધ યાત્રાધામ તરીકે વિકસાવવાના રાજ્ય સરકારના પ્રયાસો અને ભવ્ય યોજના વિશે પણ માહિતી આપવામાં આવી હતી. મુખ્યમંત્રી સાથેની બેઠક દરમિયાન સોમદેજ ફ્રા થેરાયન મુનિએ મુખ્યમંની ચેમ્બરમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેમણે કોલકત્તાના બેલુર મઠમાં સમય વિતાવ્યો છે.તેમણે સ્વામી વિવેકાનંદ સાથેના તેમના ઊંડા જોડાણનો પણ ઉલ્લેખ કર્યો હતો.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0