Gandhinagarમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના 70 અને મેલેરીયાના 13 કેસ નોંધાયા

ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રોગચાળો વકર્યો છે,ગાંધીનગરમાં ડેન્ગ્યુના 70 અને મેલેરીયાના 13 કેસો નોંધાયા છે.મનપાએ ફોગિંગ, દવાઓનો છંટકાવ શરૂ કર્યો છે સાથે સાથે ઝાડા ઉલટીના પણ કેસો આવી રહ્યાં છે.ગાંધીનગરમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ લોકો સારવાર હેઠળ હોસ્પિટલમાં આવી રહ્યા છે. વરસાદ બાદ રોગચાળો વધ્યો ગુજરાતમાં મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો છે.મચ્છરજન્ય કેસો ગાંધીનગરમાં સામે આવ્યા છે.મચ્છરજન્ય રોગચાળો અટકાવવા મનપાએ ફોગિંગ, દવાઓનો છંટકાવ શરૂ કર્યો છે.પાણીજન્ય રોગો જોવા મળ્યા નથી,અમદાવાદ,રાજકોટ,સુરતમાં પણ રોગચાળો વધ્યો છે.ગાંધીનગર ગ્રામ્ય વિસ્તારોમાં પણ રોગચાળો વધ્યો છે.પરંતુ તંત્ર દ્રારા દવાનો છંટકાવ કરવામા આવતા ધીરે ધીરે રોગચાળા પર કાબુ આવી જશે. ઉકાળેલુ પાણી પીવુ જોઈએ બીજી તરફ વાત કરવામાં આવે તો ચાલુ માસમાં ઝાડા ઉલટીના 382 કેસ,કમળાના 178 કેસ,ટાઇફોઇડનાં 304 કેસ,કોલેરાનાં 16 કેસ નોંધાયા છે.વાતાવરણને કારણે પણ વાઇરલ ઇન્ફેક્શન સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ખતરો વધી જાય છે તેવામાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે અને પાણીજન્ય રોગથી બચવા માટે ઓછામાં ઓછી 20 મિનિટ જેટલું પાણી ઉકાળીને ઠંડું પાડીને ગાળીને પીવું જોઈએ.ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાય છે અને આ વર્ષે વરસાદ હજું પણ સતત પડી રહ્યો છે જેના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. શહેરના ખાનગી દવાખાનાઓ અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. મચ્છરનું ઉત્પાદન વધ્યું વરસાદના વિરામ બાદ સ્થિર અને બંધિયાર ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. જેમાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તેમજ પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7થી 10 દિવસનો સમય લાગે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાાસ્થય પ્રત્યેં બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્‍૫તિ વધી જાય છે.  

Gandhinagarમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના 70 અને મેલેરીયાના 13 કેસ નોંધાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રોગચાળો વકર્યો છે,ગાંધીનગરમાં ડેન્ગ્યુના 70 અને મેલેરીયાના 13 કેસો નોંધાયા છે.મનપાએ ફોગિંગ, દવાઓનો છંટકાવ શરૂ કર્યો છે સાથે સાથે ઝાડા ઉલટીના પણ કેસો આવી રહ્યાં છે.ગાંધીનગરમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ લોકો સારવાર હેઠળ હોસ્પિટલમાં આવી રહ્યા છે.

વરસાદ બાદ રોગચાળો વધ્યો

ગુજરાતમાં મચ્છરજન્ય રોગચાળામાં વધારો થયો છે.મચ્છરજન્ય કેસો ગાંધીનગરમાં સામે આવ્યા છે.મચ્છરજન્ય રોગચાળો અટકાવવા મનપાએ ફોગિંગ, દવાઓનો છંટકાવ શરૂ કર્યો છે.પાણીજન્ય રોગો જોવા મળ્યા નથી,અમદાવાદ,રાજકોટ,સુરતમાં પણ રોગચાળો વધ્યો છે.ગાંધીનગર ગ્રામ્ય વિસ્તારોમાં પણ રોગચાળો વધ્યો છે.પરંતુ તંત્ર દ્રારા દવાનો છંટકાવ કરવામા આવતા ધીરે ધીરે રોગચાળા પર કાબુ આવી જશે.

ઉકાળેલુ પાણી પીવુ જોઈએ

બીજી તરફ વાત કરવામાં આવે તો ચાલુ માસમાં ઝાડા ઉલટીના 382 કેસ,કમળાના 178 કેસ,ટાઇફોઇડનાં 304 કેસ,કોલેરાનાં 16 કેસ નોંધાયા છે.વાતાવરણને કારણે પણ વાઇરલ ઇન્ફેક્શન સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ખતરો વધી જાય છે તેવામાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે અને પાણીજન્ય રોગથી બચવા માટે ઓછામાં ઓછી 20 મિનિટ જેટલું પાણી ઉકાળીને ઠંડું પાડીને ગાળીને પીવું જોઈએ.ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાય છે અને આ વર્ષે વરસાદ હજું પણ સતત પડી રહ્યો છે જેના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. શહેરના ખાનગી દવાખાનાઓ અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે.

મચ્છરનું ઉત્પાદન વધ્યું

વરસાદના વિરામ બાદ સ્થિર અને બંધિયાર ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. જેમાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તેમજ પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7થી 10 દિવસનો સમય લાગે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાાસ્થય પ્રત્યેં બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્‍૫તિ વધી જાય છે.