Dwarkaમાં બે દિવસમાં 110 ગેરકાયેદસર બાંધકામ દૂર કરાયા, વાંચો Inside Story

Jan 13, 2025 - 10:00
Dwarkaમાં બે દિવસમાં 110 ગેરકાયેદસર બાંધકામ દૂર કરાયા, વાંચો Inside Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બેટ દ્વારાકામાં છેલ્લા બે દિવસથી અલગ-અલગ ગેરકાયદેસર બાંધકામો પણ દબાણ દૂર કરવામાં આવી રહ્યાં છે અને આગામી સમયમાં પણ હજી દબાણો દૂર કરવામાં આવશે તંત્ર દ્વારા અગાઉ નોટીસ આપવામાં આવી હતી તેમ છત્તા ગેરકાયદેસર દબાણો સ્થાનિકોએ ખાલી ના કરતા તંત્રએ બુલડોઝર ફેરવી દીધુ હતુ અને છેલ્લા બે દિવસામાં દ્વારકામાં 110 ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે.

દ્વારકામાં બે દિવસમાં 110 ગેરકાયેદસર બાંધકામ દૂર

દ્વારકામાં છેલ્લા બે દિવસમાં કુલ 110 ગેરકાયદેસર જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા છે,કરોડોની કિંમતની જમીનો પરના દબાણ દૂર કરાયા છે અને જમીન ખુલ્લી કરવામાં આવી છે.110 જેટલા રહેણાંક મકાનો પર બુલડોઝર ફરી વળ્યું અને 24,400 ચોરસ મીટર જગ્યા પર દબાણો તોડી પડાયા હોવાની વાત સામે આવી છે,13.12 કરોડની જમીન પર તંત્રએ દબાણ દૂર કર્યા છે અને બાલાપર વિસ્તારમાં દબાણ દૂર કામગીરી યથાવત રહેશે.અંદાજે 250 જેટલા આસામીઓને તંત્ર દ્વારા નોટિસો પાઠવાવમાં આવી હતી.

બેટ દ્વારકામાં ડિમોલિશનનો મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો

બેટ દ્રારકામાં ડિમોલિશન સામે મુસ્લિમ જમાતના ટ્રસ્ટ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પણ અરજી કરવામાં આવી હતી,અરજદારનો આક્ષેપ છે કે,HCમાં અરજી પેન્ડિંગ છતા ડિમોલિશન કેમ કરવામાં આવ્યું તે સમજવામાં નથી આવતું ત્યારે અરજીમાં અરજન્ટ સુનાવણી કરવા અરજદારે રજૂઆત કરી છે તો 20 જાન્યુઆરીના રોજ દ્વારકા ડિમોલિશન મુદ્દે વધુ સુનાવણી હાથધરવામાં આવશે અને રાજ્ય સરકાર દ્વારા ડિમોલિશન પર અપાશે જવાબ.

ગઈકાલે પણ બેટ દ્રારકામાં કરાયું ડિમોલિશન

દેવભૂમિ દ્વારકાના ઓખામંડળ પંથકના યાત્રાધામ સહિતના મહત્વપૂર્ણ જગ્યાઓમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતુ. તંત્ર દ્વારા યાત્રાધામ દ્વારકાના આવળપરા વિસ્તાર, રૂપેણ બંદરના શાંતિનગર વિસ્તાર તેમજ બેટ દ્વારકામાં ગેરકાયદે ખડકાયેલા દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, હાલ બેટ દ્વારકામાં તમામ ખાનગી વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.કરોડોની જમીન પરના દબાણો દૂર કરવા કાર્યવાહી કરવામાં આવી છે,જિલ્લા પોલીસ વડાના માર્ગ દર્શન હેઠળ ડિમોલિશનની કામગીર કરવામાં આવી રહી છે,DYSP સહિતના ઉચ્ચ અધિકારીઓનો ચુસ્ત બંદોબસ્ત છે સાથે સાથે અગાઉ પણ હર્ષદ, નાવદ્રા, ભોગાત બંદરે થયું હતું ડિમોલિશન,હજી પણ જેટલી સરકારી જમીનો પર બાંધકામ હશે તે દૂર કરવામાં આવશે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0