Dwarka : દ્વારકાધીશ જગતમંદિરમાં યોજાયો જયેષ્ઠાભિષેક મહોત્સવ, શ્રીજીને ખુલ્લાં પડદે સ્નાન કરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દ્વારકાધીશ જગતમંદિરમાં આજ રોજ જયેષ્ઠાભિષેક શ્રીજીને (ખુલ્લાં પડદે સ્નાન) કરવામાં આવ્યું છે, જગતમંદિરમાં દર વર્ષે જેઠ માસમાં જયેષ્ઠા નક્ષત્રમાં શ્રીજીની મંગલા આરતી બાદ જયેષ્ઠાભિષેક કરવામાં આવે છે. આજે મંગલા આરતી બાદ સવારે ૮:૦૦ કલાકે ડાકોરજીનો જયેષ્ઠાભિષેક કરવામાં આવ્યો જેમાં શ્રીજીનુ ઋતુનુસાર અમૃત (આંબા) તેમજ દ્વારકાના અધોટ કુંડના પવિત્ર જલથી જલાભિષેક કરવામાં આવ્યો.
બાલસ્વરૂપના નૌકાવિહાર દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી ભકતોએ
પૂજારીઓ દ્વારા સાંજના સમયે શ્રીજીના બાલ સ્વરૂપ ગોપાલજીને મંદિરના ગર્ભગૃહથી બહાર નિજસભામાં નૌકાવિહાર કરાવવામાં આવશે, શ્રીજીને વર્ષમાં માત્ર બે વખત જન્માષ્ટમી અને જયેષ્ઠ પૂર્ણિમાં એમ માત્ર બે વખત જ ઠાકોરજીને ખુલ્લાં પડદે અભિષેક - સ્નાન કરાવવામાં આવે છે, જેમાંનો એક જયેષ્ઠાભિષેક ઉત્સવ હોય જેનું વિશેષ મહત્ત્વ છે. બહારગામથી પધારેલ ભાવિકો તેમજ બહોળી સંખ્યામાં સ્થાનિકો અને ઓનલાઈનના માધ્યમથી લાખો શ્રધ્ધાળુઓ જયેષ્ઠાભિષેક તેમજ ત્યારબાદ સાંજના સમયે બાલસ્વરૂપના નૌકાવિહાર દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
અઘોર કુંડનું પવિત્ર જલ જગતમંદિરે વાજતે ગાજતે પહોચશે
જગતમંદિરમાં શ્રીજીના જેષ્ઠાભિષેક ઉત્સવ નિમિતે ઠાકોરજી નિત્યક્રમમાં જરૂરી ફેરફાર નોંધાયો છે.જે મુજબ સવારે ૬ કલાકે મંગલા આરતી બાદ ઠાકોરજીને ખુલ્લા પડદે સ્નાન સવારે ૮ થી ૯ સુધી યોજવામા આવનાર છે.શૃંગાર આરતી તેમજ અનોસર(બંધ) નિત્યક્રમમાનુસાર યોજાશે.ઉત્સવ તેમજ ઉત્થાપન દર્શન સાંજે ૫ કલાકે તથા જલયાત્રા દર્શન સાંજે ૯/૩૦ સુધી યોજવામા આવનાર છે. શ્રધ્ધાળુઓ જયેષ્ઠાભિષેક તેમજ ત્યારબાદ સાંજના સમયે બાલસ્વરૂપના નૌકાવિહાર દર્શનનો લાભ લઈ ધન્યતા અનુવશે. જગતમંદિરના પુજારી પરિવાર દ્વારા ચાંદીના વાસણોમાં આજે અઘોર કુંડનું પવિત્ર જલ જગતમંદિરે વાજતે ગાજતે પહોચશે.
What's Your Reaction?






