Dwarka: બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે ડિમોલિશન, ધાર્મિક દબાણ હટાવવાની કામગીરી તેજ

Jan 14, 2025 - 09:30
Dwarka: બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે ડિમોલિશન, ધાર્મિક દબાણ હટાવવાની કામગીરી તેજ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. બેટ દ્વારકામાં ધાર્મિક દબાણ હટાવવાની કામગીરી યથાવત છે.  3 દિવસમાં બાલાપરમાં 260 જેટલા મકાન તોડ્યા છે. 60800 ચોરસ મીટર જગ્યા પરનું દબાણ દુર કર્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામો સામે બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે. હજુ પણ આ કાર્યવાહી યથાવત રહેશે. મળતી માહિતી મુજબ, બેટ દ્વારકા અને ઓખા વિસ્તારમાં ચાલી રહેલા મોટા પાયે ડિમોલિશનનો ચોથા દિવસે ડિમોલિશનની કામગીરી યથાવત છે. ત્રણ દિવસની અંદર આશરે 30 કરોડથી વધુની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે. ત્રણ દિવસમાં કયા કયા ગેરકાયદેસર બાંધકામો તોડાયા અને આ બાંધકામો તોડીને રાજ્યની સરકાર ભૂમાફિયાઓને ચેતવણી આપી રહી છે.

બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે ડિમોલિશન

  • ધાર્મિક દબાણ હટાવવાની કામગીરી યથાવત
  • 3 દિવસમાં બાલાપરમાં 260 જેટલા મકાન તોડ્યા
  • 60800 ચોરસ મીટર જગ્યા પરનું દબાણ દુર કર્યું
  • 35 કરોડથી વધુ કિંમતની જમીન પરથી દબાણ હટાવાયા
  • ઓખા મંડળ વિસ્તારમા 3 ધાર્મિક સ્થળો તોડી પાડ્યા
  • 1 હજાર સુરક્ષા જવાનો સાથે ઉચ્ચ અધિકારીઓ ખડેપગે

આ કાર્યવાહી દરમિયાન અત્યાર સુધીમાં હજારો ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત કરી છે, જેની અંદાજિત કિંમત 25 કરોડથી વધુ થાય છે. આ અભિયાન અંતર્ગત ઓખા વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા બે ધાર્મિક સ્થળોને પણ તોડી પાડવામાં આવ્યા છે. ઓખા વિસ્તારમાં સરકારી જગ્યા પર બનાવવામાં આવેલ હજરત પંજપીર દરગાહ તોડી પાડવામાં આવેલ છે. જેને ત્રણ નોટિસ આપવામાં આવી હતી..

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0