Dediyapada : 15 ગ્રામ પંચાયતમાં તકલાદી ઈ-રિક્ષા પધરાવી દેવાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દેડિયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ગત મે માસમાં 20 ગ્રામપંચાયતને સ્વચ્છ ભારત મિશન અભિયાન અંતર્ગત 20 ઈ-રિક્ષા વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેનો ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવા અને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આ ઈ-રીક્ષા કાર્યક્રમનો વિરોધ કર્યો હતો. બંને નેતાએ આક્ષેપ કર્યો હતો કે, આ ઈ-રિક્ષાની ખરીદીમાં ભષ્ટ્રાચાર આચરાયો છે. આ ઈ-રિક્ષાની કિં. રૂા.1,50,000 હોય આની કિં. રૂા.3,12000 ખરીદાઇ છે. જે બાબતે સાંસદ અને ધારાસભ્યે વિરોધ કર્યો હતો. ઈ-રિક્ષાઓ દેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રાંગણમાં મુકાઇ હતી. તાજેતરમાં દેડિયાપાડા તાલુકાની 15 ગ્રામ પંચાયતોમાં આ ઈ-રિક્ષાઓ પધરાવી દેવાઇ છે. પાંચ ગ્રામ પંચાયતોની ઈ-રિક્ષાઓ દેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રાંગણમાં પડી પડી ધૂળ ખાય છે. નર્મદા જિલ્લામાં ઈ-રિક્ષાની ખરીદીમાં મોટો ભષ્ટ્રાચાર આચર્યો હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. રૂા.1,50,000ની ઈ-રિક્ષા રૂા.3,12000 પધરાવી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર નર્મદા જિલ્લાના પાંચ તાલુકામાં 100 ઈ-રિક્ષાઓ આપવાનો કાર્યક્રમ છે. સ્વચ્છ ભારત મિશન અભિયાન અંતર્ગત શું આ રીતે ગ્રામ પંચાયતમાં સૂકો કચરો એકત્ર કરવાની કામગીરી કરાશે ? એવા પ્રશ્નો ગામડાંના લોકો કરી રહ્યાં છે.
What's Your Reaction?






