Dang: આગામી 9 ઓગષ્ટે યોજાશે વિશ્વ આદિવાસી દિવસ નિમીત્તે ખાસ કાર્યક્રમ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ડાંગમાં “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણી કરવાનો નિર્ણય આખરે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આગામી 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે. ડાંગમાં આદિવાસી સાંસ્કૃતિક ભવન ખાતે ખાસ કાર્યક્રમ યોજાશે.
સરકારે પોતાનો નિર્ણય બદલ્યો
રાજ્ય સરકારે પોતાનો નિર્ણય ફરી બદલ્યો છે. સરકારે આદિજાતિ વિકાસ કમિશ્નરનો પરિપત્ર બદલી નાંખ્યો છે અને નવા પરિપત્ર મુજબ કોઇપણ જિલ્લામાં કાર્યક્રમ કરી શકાશે. અગાઉ ફક્ત ચાર જિલ્લામાં કાર્યક્રમની મંજૂરી હતી
ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે
ગાંધીનગર આદિજાતિ વિકાસ કમિશ્નર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો તેના કારણે વિવાદ થતાં હવે તે નિર્ણય ફરી બદલી નાખવામાં આવ્યો છે અને અગામી ૯ મી ઓગષ્ટ-૨૦૨૫ ના રોજ ડાંગ જિલ્લામાં આદિવાસી સાંસ્કૃતિક ભવન ખાતે કાર્યક્રમ યોજવામાં આવશે.
અગાઉ 4 જિલ્લામાં કાર્યક્રમ યોજવાનો હતો
ઉલ્લેખનિય છે કે ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ફક્ત ચાર જીલ્લાઓમાં (૧) દાહોદ (૨) છોટાઉદેપુર (૩) સુરત(માંડવી) અને (૪) વલસાડ જિલ્લા સિવાય અન્ય જિલ્લામાં કાર્યક્રમ મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો હતો. નવા પરિપત્ર મુજબ હવે રાજ્યના તમામ જિલ્લાઓમાં કાર્યક્રમ યોજી શકાશે,
લોકોમાં ભારે ઉત્સાહ
ઉલ્લેખનીય છે કે 95 ટકા આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લામાં કાર્યક્રમ ને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે.
What's Your Reaction?






