Dahodના ઝાલોદના ખરવાણી ગામે દિવાલ ધરાશાયી થતા 2 બાળકીના થયા મોત

દાહોદના ઝાલોદના ખરવાણી ગામે દિવાલ ધરાશાયી થતા બે બાળકીના મોત થયા છે,તો પિતા-પુત્ર ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ ખસેડાયા છે.ભારે વરસાદના કારણે અચાનક દિવાલ ધરાશાયી થવાની ઘટના બની છે,તો પરિવારમાં શોકનો માહોલ છવાયો છે,પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે. ઝાલોદના ખરવાણી ગામે બની ઘટના દાહોદના ઝાલોદના ખરવાણી ગામે દુખદ ઘટના બની છે.જેમાં ઘરની દિવાલ ધરાશાયી થતા બે બાળકીઓના મોત થયા છે.ભારે વરસાદના કારણે આ દિવાલ ધરાશાયી થઈ છે.પરિવાર ઘરમાં સુઈ ગયો હતો તે દરમિયાન આ ઘટના બની હતી.તો માતાને કોઈ ઈજાગ્રસ્ત થઈ નથી,પરંતુ પિતા-પુત્ર ઈજાગ્રસ્ત થયા છે અને તેમની હાલત પણ ગંભીર છે.પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી પરિવારજનોના નિવેદન નોંધ્યા છે અને મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે. 4 દિવસ પહેલા ઠાસમાં દિવાલ ધરાશાયી થઈ હતી ઠાસરા તાલુકાના રાણિયા તાબે ખાખરિયા સીમ વિસ્તારમાં એક કાચા મકાનની દિવાલ ધરાશાયી થઇ જતા કાટમાળ નીચે એક મહિલા દટાઇ ગયા હતા. જેથી તેઓનું સ્થળ પર જ મોત નિપજ્યું હતુ. જયારે તેમના પતિને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. આ ઘટના બનતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. તેમજ કાટમાળ ખસેડીને બહાર કાઢવાની કામગીરી હાથધરી હતી. જેમાં પતિને સારવાર માટે હોસ્પિટલામાં લઇ જવાયા હતા. ચોમાસામાં બને છે દિવાલ ધરાશાયીની ઘટના ચોમાસાના સમયમાં ભારે વરસાદ પડતા દિવાલ ધરાશાયી થવાની ઘટનાઓ બનતી હોય છે.કાચા મકાનો હોય તેમાં ખાસ કરીને આવી ઘટના બનતી હોય છે.દિવાલમાં ભેજ આવી જતા અને વરસાદી પાણી ઉતરતા દિવાલ નબળી પડી જાય છે અને તે ધડાકભેર નીચે પડી જાય છે,આવી ઘટનાઓ કોઈ એક વાર નહી પણ અનેકવાર બની ચૂકી છે અને જેના કારણે પરિવારનો માળો વિખેરાઈ જતો હોય છે.  

Dahodના ઝાલોદના ખરવાણી ગામે દિવાલ ધરાશાયી થતા 2 બાળકીના થયા મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દાહોદના ઝાલોદના ખરવાણી ગામે દિવાલ ધરાશાયી થતા બે બાળકીના મોત થયા છે,તો પિતા-પુત્ર ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ ખસેડાયા છે.ભારે વરસાદના કારણે અચાનક દિવાલ ધરાશાયી થવાની ઘટના બની છે,તો પરિવારમાં શોકનો માહોલ છવાયો છે,પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.

ઝાલોદના ખરવાણી ગામે બની ઘટના

દાહોદના ઝાલોદના ખરવાણી ગામે દુખદ ઘટના બની છે.જેમાં ઘરની દિવાલ ધરાશાયી થતા બે બાળકીઓના મોત થયા છે.ભારે વરસાદના કારણે આ દિવાલ ધરાશાયી થઈ છે.પરિવાર ઘરમાં સુઈ ગયો હતો તે દરમિયાન આ ઘટના બની હતી.તો માતાને કોઈ ઈજાગ્રસ્ત થઈ નથી,પરંતુ પિતા-પુત્ર ઈજાગ્રસ્ત થયા છે અને તેમની હાલત પણ ગંભીર છે.પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી પરિવારજનોના નિવેદન નોંધ્યા છે અને મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે.


4 દિવસ પહેલા ઠાસમાં દિવાલ ધરાશાયી થઈ હતી

ઠાસરા તાલુકાના રાણિયા તાબે ખાખરિયા સીમ વિસ્તારમાં એક કાચા મકાનની દિવાલ ધરાશાયી થઇ જતા કાટમાળ નીચે એક મહિલા દટાઇ ગયા હતા. જેથી તેઓનું સ્થળ પર જ મોત નિપજ્યું હતુ. જયારે તેમના પતિને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. આ ઘટના બનતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. તેમજ કાટમાળ ખસેડીને બહાર કાઢવાની કામગીરી હાથધરી હતી. જેમાં પતિને સારવાર માટે હોસ્પિટલામાં લઇ જવાયા હતા.

ચોમાસામાં બને છે દિવાલ ધરાશાયીની ઘટના

ચોમાસાના સમયમાં ભારે વરસાદ પડતા દિવાલ ધરાશાયી થવાની ઘટનાઓ બનતી હોય છે.કાચા મકાનો હોય તેમાં ખાસ કરીને આવી ઘટના બનતી હોય છે.દિવાલમાં ભેજ આવી જતા અને વરસાદી પાણી ઉતરતા દિવાલ નબળી પડી જાય છે અને તે ધડાકભેર નીચે પડી જાય છે,આવી ઘટનાઓ કોઈ એક વાર નહી પણ અનેકવાર બની ચૂકી છે અને જેના કારણે પરિવારનો માળો વિખેરાઈ જતો હોય છે.