Chhotaudepur : પૌરાણિક મંદિરને બચાવવા ગ્રામજનોનું સંખેડા બંધનું એલાન

Jan 31, 2025 - 13:30
Chhotaudepur :  પૌરાણિક મંદિરને બચાવવા ગ્રામજનોનું સંખેડા બંધનું એલાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

છોટા ઉદેપુર જીલ્લાના સંખેડા ખાતે પ્રસિદ્ધ અને પૌરાણિક શિવ મંદિર આવેલું છે. સંખેડા ખાતે આવેલ અર્જુન નાથ મહાદેવ મંદિર બચાવવા માટે ગ્રામજનો મેદાને પડ્યા છે. સંખેડાના ગ્રામજનોએ મંદિર બચાવવા મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું. છતાં પણ કોઈ પગલાં ના લેવાતા હવે ગ્રામજનો આંદોલનના મૂડમાં આવી ગયા છે. ગ્રામજનોએ અર્જુન નાથ મહાદેવ મંદિર બચાવવા આજે સંખેડા બંધનું એલાન આપ્યું હતું.આ બંધને સજજડ પ્રતિસાદ મળી રહ્યો છે.

  • અર્જુનનાથ મહાદેવ મંદિરને બચાવવા અપીલ
  • છોટાઉદેપુરના પૌરાણિક મંદિરને બચાવવા લોકો મેદાને
  • ગ્રામજનોએ સંખેડા બંધ રાખીને નોંધાવ્યો વિરોધ
  • ભેખડ ધસે તો મંદિર ધરાશાયી થવાની સંભાવના
  • માંગણી નહીં સંતોષાતા ગ્રામજનો આંદોલનના માર્ગે

પૌરાણિક મંદિર બચાવવા પ્રયાસ

છોટા ઉદેપુરના સંખેડા ખાતે ઉચ્છ નદી કિનારે પૌરાણિક પાંડવ કાલીન અર્જુન નાથ મહાદેવ મંદિર આવેલું છે, જે મચ્છુ નદીમાં પુર આવે તો ભેખડ ધસી જતા મોટા નુકસાનનો ભય છે. સંભવત મંદિર ધરાશાયી થઈ જાય દરમ્યાન જાનહાનિની પણ આંશકા વ્યક્ત કરી. વધુમાં ગ્રામજનોએ કહ્યું કે ભેખડ ધસી જતા પૌરાણિક અર્જુન નાથ મહાદેવ મંદિર નદીમાં જળ મગ્ન બને તેવી સંભાવના જોતાં પુનઃનિર્માણ અથવા તો મંદિર પાસે સંરક્ષણ દીવાલની માંગણી કરવામાં આવી. સંખેડાના નગરજનોએ મંદિરને બચાવવા મામલતદારને આવેદનપત્ર આપવા છતાં કોઈ સંતોષકારક પ્રત્યુત્તર આપવામાં ના આવતા આખરે ગ્રામજનોએ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું.

ગ્રામજનોનું બંધના એલાન સફળ

સંખેડા તેમજ આસપાસના પંથકમાં અર્જુનનાથ મહાદેવ મંદિર આસ્થાનું પ્રતીક માનવામાં આવે છે. દર સોમવાર તેમજ શ્રાવણ માસમાં અહી ભાવિક ભક્તો મોટી સંખ્યામાં આવે છે, જેને લઇને લોકોમાં આંદિર પ્રત્યે આસ્થા અને શ્રદ્ધા રહેલી છે. સંરક્ષણ દીવાલની માંગણી નહીં સંતોષાતા આખરે સંખેડાના લોકોએ વિરોધ પ્રદર્શન કરતાં બંધનું એલાન આપ્યું. આજે સંખેડા બંધના એલાનને સારો પ્રતિસાદ મળ્યો છે. હાલ તો સંખેડાના ગ્રામજનો દ્વારા સંખેડા બંધ નું એલાન આપીને સજ્જડ બંધ પાડયો છે. પરંતુ ગ્રામજનોની માંગણી નહિ સંતોષાય તો આગામી દિવસોમાં અંદિં ઉગ્ર બને તેવી સંભાવના જોવા મળી રહી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0