Bhujના પ્રમુખસ્વામીનગરના વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા, મહિલાઓનો પાલિકામાં સામે રોષ

Jun 1, 2025 - 14:30
Bhujના પ્રમુખસ્વામીનગરના વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા, મહિલાઓનો પાલિકામાં સામે રોષ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભર ઉનાળે ભુજ શહેરમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે, શહેરના પ્રમુખસ્વામીનગર વિસ્તારના નિયમિત લોકોને પીવાનું પાણી મળતું નથી જેના કારણે વિસ્તારના લોકો પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

રૂપિયા આપીને પાણીની ટેન્કર બોલાવી પડે છે

ભુજ શહેરમાં પીવાના પાણી સમસ્યા દિવસે દિવસે વિકટ બની રહી છે, શહેરના અનેક વિસ્તારમાં લોકોને પીવાનું પાણી મળતું નથી અને પ્રમુખસ્વામી વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી પાણીની સમસ્યા છે, આ વિસ્તારના ચાર પાંચ દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે, પાણી વિતરણના સમયના કોઈ ઠેકાણા નથી જેના કારણે જેના કારણે લોકોને મોંઘા ભાવે પાણીના ટેન્કર મંગાવવા પડી રહ્યા છે, સ્થાનિક લોકોએ અનેકવાર પાલિકામાં રજૂઆત કરી છે, તેમ છતાં પણ પાણીની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. હાલ પ્રમુખ સ્વામી વિસ્તારના લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે, એક બાજુ ઉનાળો આકારો બની રહ્યો છે બીજી તરફ શહેરના અનેક વિસ્તારમાં પાણી સમસ્યા દિવસે દિવસે વિકટ બની રહી છે, આ વિસ્તારના કાયમી પાણીની સમસ્યાનો ઉકેલ આવે તેવી લોકો માગ કરી રહ્યા છે,

અનિવાર્ય સંજોગોમાં ટેન્કરો દ્વારા જરૂરીયાત મુજબ પાણી પહોંચાડવામાં આવે છે

જૂથ યોજના મારફત ગ્રામ્ય વિસ્તારોમાં પીવા લાયક પાણી પહોંચાડવા માટે રાજ્યના કુલ ૭૪ જેટલા ડેમમાંથી પીવા માટે પાણીનો જથ્થો આરક્ષિત રાખવામાં આવ્યો છે, જ્યાંથી જરૂરીયાત મુજબ પાણી ઉપાડી શુદ્ધીકરણ કરી લાભાર્થી ગામો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જુથ યોજનાઓમાં કેટલીક વાર લીકેજ અને પંપીંગ મશીનરી વગેરે જેવા પ્રશ્નો ઉપસ્થિત થતાં જુથ યોજનામાં સમાવિષ્ટ ગામોમાં પાણીની ઘટ ન પડે તથા ઉનાળાની સિઝનમાં પશુઓની પાણીની જરૂરીયાતને પહોંચી વળવા માટે અનિવાર્ય સંજોગોમાં ટેન્કરો દ્વારા જરૂરીયાત મુજબ પાણી પહોંચાડવામાં આવે છે.

ગામમાં પાણીની જરૂરિયાત અંગેનું સઘન મોનીટરીંગ કરવામાં આવે છે

રાજ્યમાં પીવાના પાણીની સંભવિત મુશ્કેલીવાળા ગામોનો સર્વે કરવામાં આવ્યો છે. આ ગામોમાં ઉનાળામાં મુશ્કેલી ન થાય તે માટે જરૂરી આયોજનના ભાગરૂપે વર્ગ-૧ તથા વર્ગ-૨ના અધિકારીશ્રીઓ દ્વારા મુશ્કેલીવાળા ગામોને દત્તક લેવામાં આવ્યા છે. આ અધિકારીઓ દ્વારા વિવિધ માધ્યમોથી ગામમાં પાણીની જરૂરિયાત અંગેનું સઘન મોનીટરીંગ કરવામાં આવે છે.

પાણી પુરવઠા બોર્ડની વડી કચેરી ખાતે પ્રોએક્ટીવ કોલસેન્ટર

આટલું જ નહિ, પાણી પુરવઠા સંબંધિત ફરિયાદોના નિવારણ માટે “ગ્રીવેન્સ રીડ્રેસલ સીસ્ટમ” કાર્યરત છે. જે અંતર્ગત ગાંધીનગર ખાતે ૨૪x૭ કલાકનો કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે, જેમાં ૧૯૧૬ ટોલ ફ્રી નંબરથી પીવાના પાણીને લગતી તમામ ફરીયાદો નોંધવામાં આવે છે. આ ઉપરાંત પાણી પુરવઠા બોર્ડની વડી કચેરી ખાતે પ્રોએક્ટીવ કોલસેન્ટર “જલસંપર્ક” કાર્યરત કરવામાં આવ્યું છે. આ કોલ સેન્ટરના માધ્યમથી અત્યાર સુધીમાં ૫૨,૦૦૦થી વધુ લોકોનો સંપર્ક કર્યો હતો, જે પૈકી ૯૯.૫૦ ટકા લોકોના હકારાત્મક પ્રતિભાવ મળ્યા છે.

 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0