Bhavnagarના સિહોરમાં ગટરના પાણી લોકોના ઘરોમાં ઘૂસ્યા, સ્થાનિકોનો નગરપાલિકામાં હોબાળો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભાવનગરના સિહોરમાં સ્થાનિકોના ઘરોમાં ગટરના ગંદા પાણી ઘૂસ્યા છે. જેને પગલે ત્યાંના રહિશો નગરપાલિકામાં હોબાળો મચાવ્યો હતો. ગટરનું પાણી ઘરોમાં ઘૂસતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જે મુદ્દે વોર્ડ નંબર 4ના રહીશોએ ભારે હોબાળો મચાવવા સિહોર નગરપાલિકાએ પહોંચ્યા હતા. ઘરમા ગટરના પાણી ઘૂસતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. જેના કારણે તેઓ નગરપાલિકાની કચેરીમાં હોબાળો મચાવ્યો હતો.
સ્થાનિકોને આરોગ્ય લક્ષી સમસ્યાઓ સર્જાવાની ભીતી
સ્થાનિકોના વિરોધને સમર્થન આપવા વિપક્ષના નેતા તેમજ તેમની સાથે મોટી સંખ્યામાં આવેલા લોકોના ટોળાએ ભેગા મળીને નગરપાલિકાની કચેરીમાં હલ્લાબોલ કર્યો હતો. તદ ઉપરાંત વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્રએ આંખ આડા કાન કરીને સ્થાનિકોની આ સમસ્યાનો કોઈ ઉકેલ લાવ્યો નથી તોવો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી. ગટરના પાણી ઘરમાં ઘૂસી જતાં સ્થાનિકોને આરોગ્ય લક્ષી સમસ્યાઓ સર્જાવાની ભીતી સર્જાઈ હતી.
તાત્કાલિક પણે સમસ્યાનો અંત લાવાય તેવી માંગ
નિચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને તેમજ ગટરની અવ્યવસ્થાને કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. સ્થાનિકોનું કહેવું છે કે ગટરમાંથી વરસાદી પાણી બેક મારે છે. વરસાદી વાતાવરણને લઈ ગટરોમાંથી પાણી બેક વાગતા લોકોના ઘરોમાં ઘૂસ્યુ પાણી. સ્થાનિકોને ભારે હાલાકી ભગવવાનો વારો આવ્યો હતો. આ સમગ્ર મામલે ઉગ્ર રજૂઆત કરીને સમસ્યાનો તાત્કાલિક અંત લાવવા સ્થાનિકોએ માંગ કરી હતી.
What's Your Reaction?






