Bhavnagarના સિહોરમાં અકસ્માતમાં ભાજપ નેતા મૂળજી મિયાણીનું મોત

May 29, 2025 - 09:00
Bhavnagarના સિહોરમાં અકસ્માતમાં ભાજપ નેતા મૂળજી મિયાણીનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભાવનગરના સિહોરમાં અકસ્માતમાં ભાજપ નેતા મૂળજી મિયાણીનું મોત થયું છે, બાઈક અને અજાણ્યા વાહન વચ્ચે અકસ્માતમાં મિયાણીનું મોત થયું છે, સિહોરના ગઢુલા ગામ નજીક આ અકસ્માત સર્જાયો હતો, તો ઘટનાની જાણ થતા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

સિહોરના ગઢુલા નજીક અકસ્માત સર્જાયો

ભાવનગરના સિહોર નજીક બાઇક તથા અજાણ્યા વાહન ચાલક વચ્ચે અકસ્માત સર્જાતા ભાજપ નેતાનું મોત થયું છે, ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ રૈયાબેનના પતિ અને ભાજપના કદાવર નેતા મૂળજીભાઈ મિયાણીનું અકસ્માતમાં મોત થતા ભાવનગર ભાજપ પક્ષમાં શોકનો માહોલ જોવા મળ્યો છે, ગઢુલા નજીક બાઇક લઇને પસાર થતા હતા ત્યારે અજાણ્યા વાહનની અડફેટે તેમનું મોત થયું છે અને તેમને સારવાર મળે તે પહેલા જ અંતિમ શ્વાસ લીધા હતી, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા પરિવારજનો સિહોર CHC સેન્ટર પહોંચ્યા હતા.

મૃતદેહને પીએમ માટે ખસેડાયો

ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને રોડ પરનો ટ્રાફિક દૂર કર્યો હતો, હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે અને મૃતદેહને પીએમ માટે ખસેડયો છે, પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે, અકસ્માત સર્જનારની પોલીસે હજી ધરપકડ કરી નથી, ત્યારે પરિવારમાં શોકની લાગણી છે, પોલીસની ટીમે પણ આસપાસના સીસીટીવી તપાસ માટે લીધા છે, કોના વાંકથી આ અકસ્માત સર્જાયો છે તેને લઈ તપાસ શરૂ કરી છે.

3 દિવસ અગાઉ ધોલેરા-ભાવનગર હાઈવે પર અકસ્માતમાં 3ના મોત

ધોલેરા-ભાવનગર હાઈવે પર સાંઢીડા નજીક 25 મેના રોજ બે કાર વચ્ચે ગંભીર અકસ્માત થતા 3 લોકના ઘટના સ્થળે મોત થયા હતા, તો ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0