Bharuch: અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા, ભરૂચ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામં આવી હતી. ભરૂચના ત્રાલસા ખાતે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થામાં 5 જુન વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી આર.આર.દેસાઈ, એ.વાય.મંડોરી, વિવીયાન ક્રિશ્ચન તથા સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી પ્રણવ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.
સંસ્થાના પટાંગણમાં વિવિધ ઉપયોગી વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યુ હતુ. સમાજ સુરક્ષા અધિકારીએ પર્યાવરણ દિન ઉજવણીનું વિશેષ મહત્વ પણ સમજાવ્યુ હતુ. પ્રકૃતિ જીવનની રક્ષા કરે છે. પૃથ્વી પર અનેક જીવો નિવાસ કરે છે. પર્યાવરણ દિવસ એટલે ફકત વૃક્ષારોપણ નહીં પરંતુ પ્રકૃતિને નુકશાનકારક દરેક વસ્તુઓનું ધ્યાન આપવુ. પ્લાસ્ટિકનો ત્યાગ કરવો, પાણીનો બગાડ અટકાવવો, વીજળીનો બગાડ બંધ કરવો, કચરો ડસ્ટબિનમાં નાંખવો, આ બધી નાનીનાની વસ્તુઓ પ્રકૃતિનું રક્ષણ કરવામાં મદદ કરતી હોય છે. વૃક્ષારોપણ જેટલું જરૂરી છે એના કરતા પણ વિશેષ તેનો વિકાસ થવો જરૂરી છે. બાળકોમાં પણ આવી નાની નાની સુટેવોનું સિંચન કરીએ અને પ્રકૃતિનો સાથે મળીને રક્ષણ કરીએ એ જ સાચા અર્થમાં પર્યાવરણ દિવનની ઉજવણી. સંસ્થાના સર્વ કર્મચારીઓએ સાથે મળી અને વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરી હતી.
What's Your Reaction?






