Bharuch : 255 હેકટરમાં 4 લાખથી વધુ વૃક્ષો રોપાશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
તા.5મી જૂનને પ્રતિ વર્ષ સમગ્ર વિશ્વમાં પર્યારવણની જાળવણી અને સંરક્ષણ માટે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને જુદી જુદી થીમ આધારિત કાર્યક્રમો સાથે ઉજવવામાં આવે છે. કુદરતી સમૃદ્ધિ, જિલ્લાની જૈવવૈવિધ્યતા, જીવનશૈલી અને પર્યાવરણના મધુર માનવ સંબંધોને કાયમ કરવા પર્યાવરણની જાળવણી અને જતન સાથે હરહંમેશ તૈયાર રહેવાની જરૂર જણાય છે.છેલ્લા ઘણા વર્ષોમાં ભરૂચ જિલ્લા સહિત રાજયના વનવિસ્તારમાં સામાજીક વનીકરણ વાવેતર દ્વારા સકારાત્મક પરિવર્તન આવ્યુ છે. આ વનવિસ્તાર વધારવા અને ટકાવી રાખવા ભરૂચ જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્રની આગેવાનીમાં સામાજીક વનીકરણ વિભાગના પ્રયાસો દ્વારા વૃક્ષારોપણથી લઈ વૃક્ષોની જાળવણી સુધીની તમામ તકેદારી રાખવામાં આવી રહી છે.
જિલ્લામાં પર્યાવરણની જાળવણી અને જતનની વાત કરીએ તો પાછલા એક જ વર્ષમાં હલદરવા ખાતે 1 હેકટર જમીનમાં 10 હજાર રોપાનું વાવતેર, અંકલેશ્વરના છાપરા ગામમાં 1 હેકટર જમીનમાં 10 હજાર રોપનું વાવેતર, સુરવાડી ગામમાં 3 હેકટર જમીન વિસ્તારમાં 30 હજાર રોપાનું વાવેતર, ઝઘડીયાના ઉચ્છબ ખાતે 2 હેકટર જમીનમાં 20 હજાર રોપા મળી એક જ વર્ષના સમયગાળામાં 7 હેકટર જમીનમાં 70 હજાર જેટલા વૃક્ષો વાવી વનકવચ વિકસાવવામાં આવ્યા છે.
આ વરસે ભરૂચ જિલ્લા સામાજીક વિભાગ દ્વારા કુલ 255 હેકટર વિસ્તારમાં અંદાજીત 4,22,750 વૃક્ષો રોપશે. વનીકરણ વિભાગે આ વરસે ચોમાસા દરમ્યાન વૃક્ષોના છોડનું વેચાણ કરવા માટે 33.33 લાખ છોડ નર્સરીમાં તૈયાર કરાયા છે. વન કવચ, ગ્રામ વાટિકા, ઈ-પર્યાવરણ, હરિયાળુ ગામ, પંચરત્ન ગ્રામ વાટીકા, પંચરત્ન અમૃત સરોવર, હરિત વન પથ તેમજ એસ પી.ઈ. જેવા અલગ અલગ મોડલ બનાવી તેમાં વૃક્ષોનું વાવેતર કરી વૃક્ષ મોટુ થાય ત્યાં સુધી તેનું જતન અને જાળવણી પણ કરાશે.
ભરૂચ જિલ્લા નાયબ વન સરંક્ષક, સામાજીક વનીકરણ વિભાગના ભાવનાબેન દેસાઈએ જિલ્લામાં વનકવચ પધ્ધતિથી તૈયાર થતા વનો વિશે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, ભરૂચ જિલ્લામાં વિવિધ જગ્યાઓએ વનકવચ પધ્ધતિથી વનો ઉભા કરાયા છે. જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં અલગ અલગ 4 જગ્યાઓ ઉપર 7 હેકટર વિસ્તારમાં વનકવચ પદ્ધતિથી 70 હજાર દેશી રોપાઓના વાવેતર કરાયા છે. ચાલુ વરસે 21 હેકટરના વિસ્તારમાં નવી જગ્યાઓ ઉપર વન કવચના માધ્યમથી 2 લાખ 10 હજાર રોપાનું વાવેતર કરવામાં આવશે.
What's Your Reaction?






