Bangladeshમા હિન્દુઓ પરના અત્યાચાર વિશે રાહુલ ગાંધી મૌન કેમ: હર્ષ સંઘવી

કોંગ્રેસ અને રાહુલ, ગાઝા મુદ્દે ચિંતા કરતા હતા બાંગ્લાદેશમાં મારા હિંદુ ભાઈ-બહેનો વિશે ચૂપ કેમ? આ ગજબનો દંભ છે!! આખરે આ મજબૂરી શું છે? બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં અત્યાચાર મુદ્દે ટ્વીટ કરતા લખ્યું હતું કે, કોંગ્રેસ અને રાહુલ ગાંધી ગાઝા પ્રત્યે તેમની ચિંતા અને પ્રેમની વાતો કરતા હતા. પરંતુ બાંગ્લાદેશમાં મારા હિંદુ ભાઈ-બહેનો પર થઈ રહેલા અત્યાચાર વિશે બોલતા તેમના હોઠ કેમ સીલ થઈ જાય છે. આ અદભુત દંભ છે!! આખરે આ મજબૂરી શું છે? શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ ભારે હિંસા વચ્ચે તેમણે દેશ છોડી દીધો હતો અને હાલમાં તેઓ ભારતમાં છે. સંસદમાં બાંગ્લાદેશ મુદ્દે ભારે બબાલ થઇ રહી છે. ભાજપના સાંસદ બિષ્ણુ પદ રેએ બાંગ્લાદેશના મુદ્દે વિપક્ષી નેતાઓના મૌન પર સવાલ ઉઠાવ્યા હતા. ભાજપના સંસદસભ્ય બિષ્ણુ પદ રેએ સંસદમાં બાંગ્લાદેશ મુદ્દે જણાવ્યું હતું કે ટીએસી, કૉંગ્રેસ, રાહુલ ગાંધી પણ બાંગ્લાદેશમાં લઘુમતીઓની હત્યા અંગે કંઇ બોલશે નહીં. 1946માં મારા પિતાએ પણ જીવ બચાવીને પાકિસ્તાનથી ભાગીને હાલના બાંગ્લાદેશ ગયા હતા. પછી ભાગીને આંદામાન ગયા હતા, પણ ટીએમસી, કૉંગ્રેસ આ મુદ્દે ચૂપ રહેશે. આજે તેઓ (વિપક્ષ) બાંગ્લાદેશી આવો, પાકિસ્તાની આવો કરે છે, કારણ કે એ તેમની વોટબેંક છે. બાંગ્લાદેશમાં લઘુમતિઓની હિંસા પર હવે તેઓ ચૂપ બેઠા છે. બાંગ્લાદેશ મુદ્દે ચર્ચા કરવાનું સૂચન કરતા તેમણે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું હતું કે તેઓ માત્ર વોટબેંકની રાજનીતિ કરે છે. મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના વડા તરીકે શપથ લીધા નોંધનીય છે કે નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસે ગુરુવારે બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા તરીકે શપથ લીધા હતા. PM Modiએ તેમને અભિનંદન પાઠવ્યા હતા અને બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય લઘુમતીઓ પર થયેલા હુમલા સામે અવાજ ઉઠાવતા મોહમ્મદ યુનુસને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી. રાહુલ ગાંધીએ મોહમ્મદ યુનુસને અભિનંદન પાઠવ્યા લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પણ મોહમ્મદ યુનુસને અભિનંદન પાઠવ્યા હતા. ગાઝા એર સ્ટ્રાઈકમાં મુસ્લિમ સમુદાયના લોકો માર્યા ગયા ત્યારે ખુલ્લેઆમ વિરોધ કરનારા રાહુલ ગાંધીએ બાંગ્લાદેશમાં હિંદુઓ અને લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારો પર કંઈ કહ્યું ન હતું. રાહુલ ગાંધી જ નહીં, કોંગ્રેસના તમામ નેતાઓએ પણ એક શબ્દ પણ ઉચ્ચાર્યો ન હતો. આવી સ્થિતિમાં રાહુલ ગાંધી સહિત કોંગ્રેસ પાર્ટી ભાજપના ભાજપના સાંસદ બિષ્ણુ પદ રેના નિશાના પર આવી ગઈ હતી. ભાજપે પણ આ મુદ્દે કોંગ્રેસના મૌન પર સવાલ ઉઠાવ્યા હતા.

Bangladeshમા હિન્દુઓ પરના અત્યાચાર વિશે રાહુલ ગાંધી મૌન કેમ: હર્ષ સંઘવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • કોંગ્રેસ અને રાહુલ, ગાઝા મુદ્દે ચિંતા કરતા હતા
  • બાંગ્લાદેશમાં મારા હિંદુ ભાઈ-બહેનો વિશે ચૂપ કેમ?
  • આ ગજબનો દંભ છે!! આખરે આ મજબૂરી શું છે?

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં અત્યાચાર મુદ્દે ટ્વીટ કરતા લખ્યું હતું કે, કોંગ્રેસ અને રાહુલ ગાંધી ગાઝા પ્રત્યે તેમની ચિંતા અને પ્રેમની વાતો કરતા હતા. પરંતુ બાંગ્લાદેશમાં મારા હિંદુ ભાઈ-બહેનો પર થઈ રહેલા અત્યાચાર વિશે બોલતા તેમના હોઠ કેમ સીલ થઈ જાય છે. આ અદભુત દંભ છે!! આખરે આ મજબૂરી શું છે?


શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ ભારે હિંસા વચ્ચે તેમણે દેશ છોડી દીધો હતો અને હાલમાં તેઓ ભારતમાં છે. સંસદમાં બાંગ્લાદેશ મુદ્દે ભારે બબાલ થઇ રહી છે. ભાજપના સાંસદ બિષ્ણુ પદ રેએ બાંગ્લાદેશના મુદ્દે વિપક્ષી નેતાઓના મૌન પર સવાલ ઉઠાવ્યા હતા.

ભાજપના સંસદસભ્ય બિષ્ણુ પદ રેએ સંસદમાં બાંગ્લાદેશ મુદ્દે જણાવ્યું હતું કે ટીએસી, કૉંગ્રેસ, રાહુલ ગાંધી પણ બાંગ્લાદેશમાં લઘુમતીઓની હત્યા અંગે કંઇ બોલશે નહીં. 1946માં મારા પિતાએ પણ જીવ બચાવીને પાકિસ્તાનથી ભાગીને હાલના બાંગ્લાદેશ ગયા હતા. પછી ભાગીને આંદામાન ગયા હતા, પણ ટીએમસી, કૉંગ્રેસ આ મુદ્દે ચૂપ રહેશે. આજે તેઓ (વિપક્ષ) બાંગ્લાદેશી આવો, પાકિસ્તાની આવો કરે છે, કારણ કે એ તેમની વોટબેંક છે. બાંગ્લાદેશમાં લઘુમતિઓની હિંસા પર હવે તેઓ ચૂપ બેઠા છે. બાંગ્લાદેશ મુદ્દે ચર્ચા કરવાનું સૂચન કરતા તેમણે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું હતું કે તેઓ માત્ર વોટબેંકની રાજનીતિ કરે છે.

મોહમ્મદ યુનુસે બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના વડા તરીકે શપથ લીધા

નોંધનીય છે કે નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસે ગુરુવારે બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા તરીકે શપથ લીધા હતા. PM Modiએ તેમને અભિનંદન પાઠવ્યા હતા અને બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય લઘુમતીઓ પર થયેલા હુમલા સામે અવાજ ઉઠાવતા મોહમ્મદ યુનુસને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી.

રાહુલ ગાંધીએ મોહમ્મદ યુનુસને અભિનંદન પાઠવ્યા

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પણ મોહમ્મદ યુનુસને અભિનંદન પાઠવ્યા હતા. ગાઝા એર સ્ટ્રાઈકમાં મુસ્લિમ સમુદાયના લોકો માર્યા ગયા ત્યારે ખુલ્લેઆમ વિરોધ કરનારા રાહુલ ગાંધીએ બાંગ્લાદેશમાં હિંદુઓ અને લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારો પર કંઈ કહ્યું ન હતું. રાહુલ ગાંધી જ નહીં, કોંગ્રેસના તમામ નેતાઓએ પણ એક શબ્દ પણ ઉચ્ચાર્યો ન હતો. આવી સ્થિતિમાં રાહુલ ગાંધી સહિત કોંગ્રેસ પાર્ટી ભાજપના ભાજપના સાંસદ બિષ્ણુ પદ રેના નિશાના પર આવી ગઈ હતી. ભાજપે પણ આ મુદ્દે કોંગ્રેસના મૌન પર સવાલ ઉઠાવ્યા હતા.