Banaskanthaમાં આજે 14 તાલુકા અને 424 ગામોમાં યોજાશે સેવા સેતુ કાર્યક્રમ

રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ લોકોને સતત મળતો રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન છેલ્લા નવ વર્ષથી કરવામાં આવી રહ્યું છે. વર્ષ ૨૦૨૪માં સેવા સેતુના દસમાં તબક્કા અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં ૧૭ સપ્ટેમ્બરથી સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત થઈ હતી જે અંતર્ગત ૪ ઓકટોબરના રોજ બનાસકાંઠા જિલ્લાના ૧૪ તાલુકાઓના કુલ ૪૨૪ ગામોનો સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. આજે યોજાશે સેવા સેતુ કાર્યક્રમ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં ૦૪ ઓકટોબરના રોજ ભાભર તાલુકાના રૂની ખાતે ૧૯ ગામનો સેવા સેતુ કાર્યક્રમ, સૂઇગામ તાલુકાના જેલાણા ખાતે ૧૧ ગામનો સેવા સેતુ કાર્યક્રમ, ધાનેરા (ગ્રામ્ય)ના રવિયા ખાતે ૨૭ ગામનો સેવા સેતુ કાર્યક્રમ, દાંતીવાડા તાલુકાના જેગોલ ખાતે ૧૯ ગામનો, ડીસા તાલુકાના જૂની ભીલડી ખાતે ૪૧ ગામનો, કાંકરેજ તાલુકાના નાથપુરા ખાતે ૨૦ ગામનો, વાવ તાલુકાના બુકણા ખાતે ૨૬ ગામનો, થરાદ તાલુકાના આસોદર ખાતે ૪૬ ગામનો, દિયોદર તાલુકાના પાલડી ખાતે ૨૧ ગામનો, વડગામ તાલુકાના પિલુચા ખાતે ૪૨ ગામનો, લાખણી તાલુકાના મોટા કપરા ખાતે ૧૮ ગામનો, દાંતા તાલુકાના મંડાલી ખાતે ૭૩ ગામનો, અમીરગઢ તાલુકાના જેથી ખાતે ૨૪ ગામનો અને પાલનપુર (ગ્રામ્ય)ના વેડંચા ખાતે ૩૭ ગામોના સમાવેશ સાથે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. એક જ સ્થળેથી થશે તમામ કામગીરી ગુજરાત સરકાર દ્વારા રાજ્યના પ્રજાજનોને વ્યક્તિગત સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે અને તે જ દિવસે પ્રાપ્ત થઇ શકે તેવા ઉમદા હેતુથી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલ દ્વારા રાજ્ય સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભો લોકોને સ્થળ ઉપર જ મળી રહે તે માટે સઘન આયોજન કરવા વિવિધ તાલુકાના પ્રાંત અધિકારીશ્રીઓની નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે સાથે જિલ્લાના નાગરિકોને સેવા સેતુ કાર્યક્રમનો લાભ લેવા વહીવટી તંત્ર તરફથી અપીલ કરાઈ છે.

Banaskanthaમાં આજે 14 તાલુકા અને 424 ગામોમાં યોજાશે સેવા સેતુ કાર્યક્રમ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ લોકોને સતત મળતો રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન છેલ્લા નવ વર્ષથી કરવામાં આવી રહ્યું છે. વર્ષ ૨૦૨૪માં સેવા સેતુના દસમાં તબક્કા અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં ૧૭ સપ્ટેમ્બરથી સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત થઈ હતી જે અંતર્ગત ૪ ઓકટોબરના રોજ બનાસકાંઠા જિલ્લાના ૧૪ તાલુકાઓના કુલ ૪૨૪ ગામોનો સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.

આજે યોજાશે સેવા સેતુ કાર્યક્રમ

સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં ૦૪ ઓકટોબરના રોજ ભાભર તાલુકાના રૂની ખાતે ૧૯ ગામનો સેવા સેતુ કાર્યક્રમ, સૂઇગામ તાલુકાના જેલાણા ખાતે ૧૧ ગામનો સેવા સેતુ કાર્યક્રમ, ધાનેરા (ગ્રામ્ય)ના રવિયા ખાતે ૨૭ ગામનો સેવા સેતુ કાર્યક્રમ, દાંતીવાડા તાલુકાના જેગોલ ખાતે ૧૯ ગામનો, ડીસા તાલુકાના જૂની ભીલડી ખાતે ૪૧ ગામનો, કાંકરેજ તાલુકાના નાથપુરા ખાતે ૨૦ ગામનો, વાવ તાલુકાના બુકણા ખાતે ૨૬ ગામનો, થરાદ તાલુકાના આસોદર ખાતે ૪૬ ગામનો, દિયોદર તાલુકાના પાલડી ખાતે ૨૧ ગામનો, વડગામ તાલુકાના પિલુચા ખાતે ૪૨ ગામનો, લાખણી તાલુકાના મોટા કપરા ખાતે ૧૮ ગામનો, દાંતા તાલુકાના મંડાલી ખાતે ૭૩ ગામનો, અમીરગઢ તાલુકાના જેથી ખાતે ૨૪ ગામનો અને પાલનપુર (ગ્રામ્ય)ના વેડંચા ખાતે ૩૭ ગામોના સમાવેશ સાથે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.

એક જ સ્થળેથી થશે તમામ કામગીરી

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના પ્રજાજનોને વ્યક્તિગત સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે અને તે જ દિવસે પ્રાપ્ત થઇ શકે તેવા ઉમદા હેતુથી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલ દ્વારા રાજ્ય સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભો લોકોને સ્થળ ઉપર જ મળી રહે તે માટે સઘન આયોજન કરવા વિવિધ તાલુકાના પ્રાંત અધિકારીશ્રીઓની નોડલ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે સાથે જિલ્લાના નાગરિકોને સેવા સેતુ કાર્યક્રમનો લાભ લેવા વહીવટી તંત્ર તરફથી અપીલ કરાઈ છે.