Banaskantha: પાલનપુરના ગોબરી ઓવર બ્રિજ પર ધડાકાભેર અકસ્માત, 5 યાત્રાળુઓને પહોંચી ઇજા
બનાસકાંઠાના પાલનપુરના ગોબરી ઓવર બ્રિજ પર કુંભ જવા નીકળેલા યાત્રાળુઓને અકસ્માત નડ્યો છે. બે કાર સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં પાંચને ઇજાઓ પહોંચી છે. રાજ્યમાં અકસ્માતની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. અકસ્માતની ઘટનામાં અનેક લોકોને ઇજાઓ પહોંચે છે તો અનેક લોકો મોતના નીપજે છે. તેવામાં બનાસકાંઠાના પાલનપુરમાં ગોબરી ઓવર બ્રિજ પર અકસ્માતની ઘટના સામે આવી છે. પાલનપુરથી પ્રયાગરાજ કુંભ જવા નીકળેલા યાત્રાળુંઓને અકસ્માત નડ્યો છે. ગોબરી બ્રિજ પર બે વાહનો સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં 5થી વધુ લોકોને ઇજાઓ પહોંચી હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે. રોંગ સાઈડમાં આવતી કાર યાત્રાળુંઓની ઇકો ગાડી સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું હતું. અકસ્માતને પગલે ઈકોમાં સવાર યાત્રાળુઓને ઇકોના કાચ તોડી બહાર કઢાયા હતા. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તમામ ઇજાગ્રસ્તોની હાલત સ્થિર છે. પોલીસે સમગ્ર ઘટનાને પગલે વધુ તપાસ હાથ ધરી છે.
![Banaskantha: પાલનપુરના ગોબરી ઓવર બ્રિજ પર ધડાકાભેર અકસ્માત, 5 યાત્રાળુઓને પહોંચી ઇજા](https://epapercdn.sandesh.com/images/2025/02/10/PmDfqzt3xcZxSSytkiiXZcdEjq2QVoUgWDjNikH4.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બનાસકાંઠાના પાલનપુરના ગોબરી ઓવર બ્રિજ પર કુંભ જવા નીકળેલા યાત્રાળુઓને અકસ્માત નડ્યો છે. બે કાર સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં પાંચને ઇજાઓ પહોંચી છે.
રાજ્યમાં અકસ્માતની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. અકસ્માતની ઘટનામાં અનેક લોકોને ઇજાઓ પહોંચે છે તો અનેક લોકો મોતના નીપજે છે. તેવામાં બનાસકાંઠાના પાલનપુરમાં ગોબરી ઓવર બ્રિજ પર અકસ્માતની ઘટના સામે આવી છે. પાલનપુરથી પ્રયાગરાજ કુંભ જવા નીકળેલા યાત્રાળુંઓને અકસ્માત નડ્યો છે. ગોબરી બ્રિજ પર બે વાહનો સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં 5થી વધુ લોકોને ઇજાઓ પહોંચી હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે.
રોંગ સાઈડમાં આવતી કાર યાત્રાળુંઓની ઇકો ગાડી સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું હતું. અકસ્માતને પગલે ઈકોમાં સવાર યાત્રાળુઓને ઇકોના કાચ તોડી બહાર કઢાયા હતા. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તમામ ઇજાગ્રસ્તોની હાલત સ્થિર છે. પોલીસે સમગ્ર ઘટનાને પગલે વધુ તપાસ હાથ ધરી છે.