Anandના આંકલાવમાં 6 બાળકોને થયું ફૂડ પોઈઝનિંગ, અજાણ્યું ફળ ખાતા તબિયત લથડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આણંદના આંકલાવમાં 6 બાળકો સાથે ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે,જેમાં પરપ્રાંતિય પરિવારના 6 બાળકોએ અજાણ્યું ફળ ખાઈ લેતા અચાનક વોમિટીંગ શરૂ થઈ ગઈ હતી જેમાં તમામ બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે,હાલ તમામ બાળકની તબિયત સુધારા પર છે તેવું ડોકટરનું કહેવું છે.
અજાણ્યુ ફળ ખાઈ લેતા બાળકોની તબિયત લથડી
આણંદના આંકલાવમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે જેમાં 6 બાળકોને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે,કોઈ ફળ ખાઈ લેતા આ ઘટના બની છે,બાળકોને હાલમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને અલગ-અલગ રીપોર્ટ કાઢવામાં આવ્યા છે,બાળકોને તાત્કાલિક સારવાર મળી રહેતા તમામની તબિયત સુધારા પર છે.ત્યારે હેલ્થ વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા,તમામ બાળકો પરપ્રાંતિય છે અને મજૂરી કામે માતા-પિતા સાથે આવ્યા છે.
ખોરાક ક્યારે બગડે છે?
જ્યારે તાપમાન 32 થી 35 ડિગ્રી સેલ્સિયસથી ઉપર હોય ત્યારે બેક્ટેરિયા વધવા લાગે છે. કેટલાક અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે 37 ડિગ્રીથી વધુ તાપમાન બેક્ટેરિયાને મારી શકે છે.
ફૂડ પોઈઝનિંગના લક્ષણો
ડોક્ટરના જણાવ્યા મુજબ, કોઈપણ વસ્તુ ખાધા પછી પેટમાં તીવ્ર દુખાવો, ઉલ્ટી, અપચો, માથાનો દુખાવો, અતિશય થાક, નબળાઈ અને તાવ જેવા કોઈપણ લક્ષણો ફૂડ પોઈઝનિંગના લક્ષણો હોઈ શકે છે. ફૂડ પોઈઝનિંગ કોઈપણ ઉંમરે થઈ શકે છે, પરંતુ આ સમસ્યાઓ બાળકોમાં વધુ જોવા મળે છે.
ફૂડ પોઇઝનિંગ એક પ્રકારનો ચેપ
ફૂડ પોઈઝનિંગ એક પ્રકારનો ચેપ છે જે બેક્ટેરિયા અને વાયરસ દ્વારા ફેલાય છે. જ્યારે બેક્ટેરિયા ધરાવતો ખોરાક ખાવામાં આવે છે, ત્યારે આ બેક્ટેરિયા આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયાને બહાર કાઢે છે. તે પાચનક્રિયાને બગાડે છે. મોટાભાગના ફૂડ પોઈઝનિંગ ગંદા પાણી પીવાથી, એક્સપાયર થયેલ પેકેજ્ડ ફૂડ, ખૂબ લાંબો સમય રાંધવામાં આવેલો ખોરાક ખાવાથી થતા હોય છે. જ્યારે તાપમાન 32 થી 35 ડિગ્રી સેલ્સિયસથી ઉપર હોય ત્યારે બેક્ટેરિયા વધવા લાગે છે.
ઉનાળામાં ફૂડ પોઇઝનિંગ સૌથી વધુ થાય છે
ઉનાળાની ઋતુમાં ફૂડ પોઇઝનિંગના મામલા વધુ સામે આવતા હોય છે. ઉનાળાની ઋતુમાં સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે.ઉનાળાની ઋતુમાં હવા સાથે બેક્ટેરિયા પણ આવે છે અને તે પોતાની સાથે અનેક પ્રદૂષકો પણ લાવે છે. જેના કારણે ક્યારેક આપણી રોગપ્રતિકારક શક્તિ પણ બગડી જાય છે. ઉનાળામાં જો ખોરાક તરત જ ન ખાવામાં આવે તો તે ઝેરી પણ બની શકે છે અને બેક્ટેરિયા ખૂબ જ ઝડપથી વધે છે.
What's Your Reaction?






