Anand: બોરસદ શહેરમાં વિકાસનાં કામો ટલ્લે ચઢતા હાલાકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બોરસદ શહેરમાં પાલિકા દ્વારા વિવિધ વિકાસમાં કામો હાથ ધરવામાં આવ્યા હતા પરંતુ ચોમાસામાં વરસાદને લઈ આ વિકાસના કામો અભેરાઈએ ચઢી જતા નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. શહેરમાં ઠેર ઠેર ખોદકામ કરવામાં આવેલ હોઈ ભૂવા અને મોટા મોટા ખાડા પડી ગયા છે તેમજ કાદવ કીચડને લઈ નગરજનો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. પરંતુ આ મામલે નગરપાલિકાના વહીવટદાર અને ચીફ્ ઓફીસર દ્વારા કોઇ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતાં સ્થાનિક રહીશોમાં રોષ ભભૂકી ઉઠયો છે
બોરસદ નગરપાલિકા દ્વારા શહેરની આણંદ ચોકડી વિસ્તારમાં ગટરલાઈન નાંખવાનું કામ ચાલી રહ્યું છે. પરંતુ હાલની ચોમાસાની ઋતુમાં રસ્તા ઉપર ખોદકામ કરી અટકાવી દેતાં સ્થાનિકો ભારે પરેશાની વેઠી રહ્યા છે. બોરસદ નગરપાલિકા દ્વારા શહેરની આણંદ ચોકડી વિસ્તારમાં ગટરલાઈન નાંખવાનું કામ કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યું છે અને કોન્ટ્રાક્ટર દ્વારા કૃષ્ણનગરથી સોમનાથ સોસાયટી જવાના છે. રસ્તે છેલ્લા 30 દિવસ કરતા વધુ સમયથી રસ્તો તોડી ખોદકામ કરવામાં આવ્યું છે.ત્યારબાદ ગટરલાઈન નાંખવાનું કામ અટકાવી દેવામાં આવ્યું છે. જેના કારણે આ રસ્તા ઉપર આવેલ તમામ સોસાયટીના રહીશોને આવ-જા કરવામાં તકલીફ્ પડી રહી આ ગટરલાઈન નાંખવાનું કામ સત્વરે પૂર્ણ કરી આવવા જવાનો રસ્તો પૂર્વવત કરવાની સ્થાનિક સોસાયટીના રહીશોની માંગ ઉઠવા પામી છે.
What's Your Reaction?






