Amreliમાં પાયલોટ ટ્રેનિંગ સેન્ટર સામે લોકોનો વિરોધ, કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

Jun 19, 2025 - 16:00
Amreliમાં પાયલોટ ટ્રેનિંગ સેન્ટર સામે લોકોનો વિરોધ, કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમરેલી શહેરમાં ખાનગી કંપનીઓ દ્વારા પાયલોટ ટ્રેનિંગ સેન્ટર ચલાવવામાં આવી રહ્યું છે, અહીં દરરોજ પાયલોટને ટ્રેનિંગ આપવા માટે પ્લેન શહેર ઉપર સતત ઉડતા જોવા મળે છે, થોડા સમય પહેલા અમરેલી શહેરના ગિરિયા વિસ્તારમાં પ્લેન ક્રેશ થતાં આગ લાગી હતી, જેમાં ટ્રેનિંગ લઈ રહેલા પાયલોટનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ 12 જૂને અમદાવાદ શહેરમાં પ્લેન દુર્ઘટનાને લઈ ઘેરાપ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે અમરેલી શહેરમાં સતત પ્લેન ઉડતા હોવાને કારણે શહેરમાં ગભરાટનો માહોલ ઉભો થયો છે.

મોટી સંખ્યામાં લોકોએ કલેકટર કચેરીમાં પહોંચીને લેખિત રજૂઆતો કરી રોષ વ્યકત કર્યો

જેના કારણે લોકો લેખિત અને મૌખિક રજૂઆતો કરી ચુક્યા છે, થોડા દિવસ પહેલા બેઠક યોજાઈ હતી અને આજે જિલ્લા કલેકટર કચેરીમાં શહેરના વેપારી સહિત નાગરિકો દ્વારા આવેદનપત્ર આપી લેખિત રજૂઆતો કરવામાં આવી છે અને ઉપવાસ માટેની ચીમકી પણ ઉચારવામાં આવી છે. અમરેલી નગરપાલિકાના પૂર્વ ચેરમેન સુરેશ શેખવાએ જણાવ્યું કે અમરેલી શહેરમાં ઉડતા ટ્રેનિંગ પ્લેનો જે હંમેશા ક્રેશ થતા હોય છે, અગાઉ ગિરિયામાં પ્લેન ક્રેશ થયું હતું.

રાજકમલ ચોકમાં નાગરિકો ઉપવાસમાં બેસશે તેવી ચીમકી આપવામાં આવી

અમરેલી માટે જોખમી રીતે પ્લેન ઉડતું હોય આ માટે કલેકટરને આવેદન પત્ર આપ્યું છે, કલેકટરે નાગરિકોને રિસ્પોન્સ આપ્યો છે કે આ ટ્રેનિંગ સેન્ટર દૂર થાય તેવા પ્રયત્ન કરીશ, જો દુર નહીં કરવામાં આવે તો 29 જૂને અમરેલી રાજકમલ ચોકમાં નાગરિકો ઉપવાસમાં બેસશે તેવી ચીમકી આપવામાં આવી છે. અમરેલી કલેકટર અજય દહીંયાંએ કહ્યું કે અમરેલી શહેરના લોકોની માગણી છે કે, એરપોરથી પાયલોટ ટ્રેનિંગ સ્કૂલ છે જે ફ્લાઈટનો રૂટ ચેન્જ કરવામાં આવે. જણાવી દઈએ કે કેન્દ્ર સરકારની સંપૂર્ણ પરવાનગી લીધા પછી પાયલોટ સ્કૂલ આ વિસ્તારમાં ચાલે છે, પરંતુ લોકોની માગણી છે જે રૂટ છે તે બાબતે ચર્ચા કરીને પગલું લઈશું.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0