Amreliના રાજુલામાં વરસાદના બીજા રાઉન્ડમાં હાહાકાર, સલાટ વાડા અને સંઘવી ચોકમાં બે મકાનની દીવાલો ધરાશાયી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં કમોસમી વરસાદના બીજા રાઉન્ડે ભારે ધબધબાટી બોલાવી છે. જેના કારણે શહેરી વિસ્તારમાં બે મકાનની દીવાલો ધરાશાયી થવાનો બનાવ બન્યો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ એક ફોર-વ્હીલર કારને નુકસાન પહોંચ્યું છે. વરસાદના સતત પ્રવાહને કારણે રાજુલાના બે અલગ-અલગ વિસ્તારોમાં જૂના મકાનોની દીવાલો તૂટી પડી હતી.
બે વિસ્તારોમાં દીવાલો ધરાશાયી થઈ હતી
સલાટ વાડા વિસ્તાર; અહીં સૂર્ય મુખી હનુમાન મંદિર પાસે એક જૂના મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી. દીવાલ તૂટી પડી તે સમયે તેની બાજુમાં પાર્ક કરેલી એક ફોર-વ્હીલર કાર પર કાટમાળ પડતાં કારને મોટું નુકસાન થયું હતું. સંઘવી ચોક વિસ્તાર; સંઘવી ચોકમાં આવેલ રાધાકૃષ્ણ મંદિર સામેના ભાગમાં પણ એક જૂના મકાનની દીવાલ તૂટી પડવાની ઘટના બની હતી.
વરસાદી પાણીના કારણે દીવાલ નબળી પડી જતાં થઈ ધરાશાયી
બંને ઘટનાઓમાં દીવાલો જૂના અને જર્જરિત મકાનોની હોવાથી વરસાદી પાણીના કારણે નબળી પડી જતાં ધરાશાયી થઈ હતી. સદનસીબે આ ઘટનાઓ રાત્રિના સમયે બની હોવા છતાં કે આસપાસ કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી કોઈપણ વ્યક્તિને ઇજા પહોંચી નહોતી. સ્થાનિક તંત્ર દ્વારા ઘટનાસ્થળે પહોંચીને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભારે વરસાદના પગલે શહેરમાં આવેલા અન્ય જૂના અને જર્જરિત મકાનોની સલામતી અંગે પણ ચિંતા વ્યક્ત થઈ છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

