Amreli: બાબરામાં માતાએ પ્રેમ સંબંધમાં પોતાના દોઢ માસના દિકરાની કરી હત્યા

પત્નીએ માસુમ પુત્રને પાણીની કુંડીમાં ફેંકીને મોતને ઘાટ ઉતારી દીધા બાદ ખોટી સ્ટોરી બનાવીપોલીસને ગુમ પતિ રાકેશ જ પુત્રને પાણીની કૂંડીમાં ફેંકીને નાસી ગયાની શંકા ઉદભવી બાબરા પોલીસે અલગ અલગ કલમો હેઠળ ગુન્હો નોંધ્યો અમરેલીના બાબરાના વાવડા ગામે પરપ્રાંતિય ખેતમજૂર જનેતાનું ફિટકારજનક કૃત્ય સામે આવ્યુ છે. પ્રેમ સંબંધની પતિને ખબર પડતા માથાકૂટ કરીને પતિ વતન દાહોદ જતો રહ્યા બાદ પત્નીએ માસુમ પુત્રને પાણીની કુંડીમાં ફેંકીને મોતને ઘાટ ઉતારી દીધા બાદ ખોટી સ્ટોરી બનાવી હતી પણ પોલીસ તપાસમાં સમગ્ર કારસ્તાનનો ભાંડો ફૂટ્યો છે. માસુમ પુત્રને પાણીની ટાંકીમાં ડુબાડીને હત્યા નીપજાવી હોવાની ઘટનાથી ચકચાર મચી આ ઘટના બાબરા તાલુકાના વાવડા ગામે બની છે, માતાએ જ પોતાના દોઢ માસના માસુમ પુત્રને પાણીની ટાંકીમાં ડુબાડીને હત્યા નીપજાવી હોવાની ઘટનાથી ચકચાર મચી છે. પ્રેમ સંબંધને કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ પ્રેમી સાથે લગ્નમાં પુત્ર નડતરરૂપ હોવાથી હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દાહોદના વતની અને ખેતરોમાં ભાગવું રાખી મજૂરી કામ કરતા શ્રમિક પરિવારના દોઢ મહિનાના બાળકનું શંકાસ્પદ મોત નિપજયું હતું. ઘટનામાં સૌપ્રથમ પતિ ઉપર પોલીસને ગઈ હતી શંકા આ અંગે બાળકની માતા મનીષાબેન બામણીયાનામની 25 વર્ષીય મહિલાએ પોલીસમાં નોંધાવ્યું હતું કે, તે તથા તેના પતિ રાકેશભાઈ અને તેના પુત્ર-પુત્રી બંને બાળકો ગત રાત્રિના પોતે ભાગયુ રાખેલ વાડીએ સૂતા હતા. આજે સવારે પાંચક વાગ્યાના અરસામાં ઉઠીને જોતા તેના પતિ અને નાનો દીકરો પથારીમાં નહોતા, જેથી શોધખોળ કરતા તેના દોઢ માસના પુત્રની પાણીની ટાંકીમાં ડૂબેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ બનાવને લઈને બાબરા પોલીસ મથક ખાતે જાણ કરવામાં આવી હતી. જેથી પ્રથમ તો તેણીનો ગુમ પતિ રાકેશ જ પુત્રને પાણીની કૂંડીમાં ફેંકીને નાસી ગયાની શંકા ઉદભવી હતી. આ બનાવને લઈને બાબરા પોલીસની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા જાણવા મળ્યું કે બાળકની માતાએ પોતે જ પોતાના દોઢ માસના માસુમ બાળકની હત્યા કરી હોવાનું ખૂલ્યુ હતુ. માતાને મિથુન ભુરીયા (રહે. મધ્યપ્રદેશ) નામના શખ્સ સાથે પ્રેમ સંબંધ હતો અને તે બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જેથી તેનો પતિ ચાલ્યો ગયો હતો. બાબરા પોલીસે અલગ અલગ કલમો હેઠળ ગુન્હો નોંધ્યો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મહિલાને પ્રેમ સંબંધ હોય, જેથી પ્રેમી સાથે લગ્ન કરવા માટે સામાજિક પ્રથામાં પુત્ર નડતરરૂપ હોય, જેથી પુત્રની હત્યા નિપજાવી દોઢ માસના બાળકને જમીનમાં દાટી દીધુ હતું. જોકે સામાજિક પ્રથામાં બીજા લગ્નમાં પુત્રી નડતરરૂપ ગણાતી ન હોવાથી માતાએ સાથે રાખી હતી અને પુત્રને મોતના મુખમાં ધકેલી દીધો હતો. બાબરા પોલીસે આ ક્રૂર માતા મનીષા સામે અલગ અલગ કલમો હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહીઓ હાથ ધરી છે.

Amreli: બાબરામાં માતાએ પ્રેમ સંબંધમાં પોતાના દોઢ માસના દિકરાની કરી હત્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પત્નીએ માસુમ પુત્રને પાણીની કુંડીમાં ફેંકીને મોતને ઘાટ ઉતારી દીધા બાદ ખોટી સ્ટોરી બનાવી
  • પોલીસને ગુમ પતિ રાકેશ જ પુત્રને પાણીની કૂંડીમાં ફેંકીને નાસી ગયાની શંકા ઉદભવી
  • બાબરા પોલીસે અલગ અલગ કલમો હેઠળ ગુન્હો નોંધ્યો

અમરેલીના બાબરાના વાવડા ગામે પરપ્રાંતિય ખેતમજૂર જનેતાનું ફિટકારજનક કૃત્ય સામે આવ્યુ છે. પ્રેમ સંબંધની પતિને ખબર પડતા માથાકૂટ કરીને પતિ વતન દાહોદ જતો રહ્યા બાદ પત્નીએ માસુમ પુત્રને પાણીની કુંડીમાં ફેંકીને મોતને ઘાટ ઉતારી દીધા બાદ ખોટી સ્ટોરી બનાવી હતી પણ પોલીસ તપાસમાં સમગ્ર કારસ્તાનનો ભાંડો ફૂટ્યો છે.

માસુમ પુત્રને પાણીની ટાંકીમાં ડુબાડીને હત્યા નીપજાવી હોવાની ઘટનાથી ચકચાર મચી

આ ઘટના બાબરા તાલુકાના વાવડા ગામે બની છે, માતાએ જ પોતાના દોઢ માસના માસુમ પુત્રને પાણીની ટાંકીમાં ડુબાડીને હત્યા નીપજાવી હોવાની ઘટનાથી ચકચાર મચી છે. પ્રેમ સંબંધને કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ પ્રેમી સાથે લગ્નમાં પુત્ર નડતરરૂપ હોવાથી હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દાહોદના વતની અને ખેતરોમાં ભાગવું રાખી મજૂરી કામ કરતા શ્રમિક પરિવારના દોઢ મહિનાના બાળકનું શંકાસ્પદ મોત નિપજયું હતું.

ઘટનામાં સૌપ્રથમ પતિ ઉપર પોલીસને ગઈ હતી શંકા

આ અંગે બાળકની માતા મનીષાબેન બામણીયાનામની 25 વર્ષીય મહિલાએ પોલીસમાં નોંધાવ્યું હતું કે, તે તથા તેના પતિ રાકેશભાઈ અને તેના પુત્ર-પુત્રી બંને બાળકો ગત રાત્રિના પોતે ભાગયુ રાખેલ વાડીએ સૂતા હતા. આજે સવારે પાંચક વાગ્યાના અરસામાં ઉઠીને જોતા તેના પતિ અને નાનો દીકરો પથારીમાં નહોતા, જેથી શોધખોળ કરતા તેના દોઢ માસના પુત્રની પાણીની ટાંકીમાં ડૂબેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ બનાવને લઈને બાબરા પોલીસ મથક ખાતે જાણ કરવામાં આવી હતી. જેથી પ્રથમ તો તેણીનો ગુમ પતિ રાકેશ જ પુત્રને પાણીની કૂંડીમાં ફેંકીને નાસી ગયાની શંકા ઉદભવી હતી.

આ બનાવને લઈને બાબરા પોલીસની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા જાણવા મળ્યું કે બાળકની માતાએ પોતે જ પોતાના દોઢ માસના માસુમ બાળકની હત્યા કરી હોવાનું ખૂલ્યુ હતુ. માતાને મિથુન ભુરીયા (રહે. મધ્યપ્રદેશ) નામના શખ્સ સાથે પ્રેમ સંબંધ હતો અને તે બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જેથી તેનો પતિ ચાલ્યો ગયો હતો.

બાબરા પોલીસે અલગ અલગ કલમો હેઠળ ગુન્હો નોંધ્યો

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મહિલાને પ્રેમ સંબંધ હોય, જેથી પ્રેમી સાથે લગ્ન કરવા માટે સામાજિક પ્રથામાં પુત્ર નડતરરૂપ હોય, જેથી પુત્રની હત્યા નિપજાવી દોઢ માસના બાળકને જમીનમાં દાટી દીધુ હતું. જોકે સામાજિક પ્રથામાં બીજા લગ્નમાં પુત્રી નડતરરૂપ ગણાતી ન હોવાથી માતાએ સાથે રાખી હતી અને પુત્રને મોતના મુખમાં ધકેલી દીધો હતો. બાબરા પોલીસે આ ક્રૂર માતા મનીષા સામે અલગ અલગ કલમો હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહીઓ હાથ ધરી છે.