Amreli News: સાવરકુંડલા-મહુવા રોડ પર રેલવે ઓવરબ્રિજની કામગીરીને કારણે વાહન ચાલકો માટે વૈકલ્પિક રૂટ જાહેર

Oct 3, 2025 - 22:00
Amreli News: સાવરકુંડલા-મહુવા રોડ પર રેલવે ઓવરબ્રિજની કામગીરીને કારણે વાહન ચાલકો માટે વૈકલ્પિક રૂટ જાહેર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સાવરકુંડલા શહેરમાં સાવરકુંડલા-મહુવા રોડ પર આવેલ રેલવે ફાટક નં.67/બી પર રેલવે ફાટક મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત સ્વર્ણીમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રેલવે ઓવરબ્રીજની કામગીરી જ્યા સુધી પ્રગતી હેઠળ હોઈ, ત્યાં સુધી રેલવે ફાટક નં. 67/બી પરથી પસાર થતા વાહનો માટે અમરેલીના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ વૈકલ્પિક રૂટનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

વાહનોએ સાવરકુંડલા બાયપાસ રોડ ઉપરથી પસાર થવાનું રહેશે

વૈકલ્પિક રૂટ-૧ મુજબ અમરેલી હાઈવે તરફથી વાયા સાવરકુંડલા શહેર થઈ મહુવા-રાજુલા તરફ જતા-આવતા તથા મહુવા-રાજુલા તરફથી વાયા સાવરકુંડલા શહેર થઈ અમરેલી તરફ જતા-આવતા ભારે તથા મોટા વાહનોએ સાવરકુંડલા બાયપાસ રોડ ઉપરથી પસાર થવાનું રહેશે.

આ જાહેરનામું તા.૨૩-૧૧-૨૦૨૫ સુધી અમલી રહેશે

વૈકલ્પિક રૂટ-૨ અનુસાર સાવરકુંડલા શહેરમાંથી મહુવા-રાજુલા તરફ જતા-આવતા તથા મહુવા-રાજુલા તરફથી સાવરકુંડલા શહેરમાં જતા-આવતા દ્વિચક્રી અને થ્રીચક્રી વાહનોએ સૂચિત બ્રીજ (રેલવે ફાટક)ની બંને સાઈડના સર્વિસ રોડ ઉપરથી પસાર થવાનું રહેશે.વૈકલ્પીક રૂટ-૩ મુજબ સાવરકુંડલા શહરેમાંથી મહુવા-રાજુલા તરફ આવતા-જતા નાના તથા મધ્યમ વાહનોએ માર્કેટીંગ યાર્ડ પાસેના રેલવે અંડરપાસ માંથી પસાર થવાનું રહેશે. આ જાહેરનામું તા.૨૩-૧૧-૨૦૨૫ સુધી અમલી રહેશે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0