AMCની નવી યોજના: આ ત્રણેય બાબતોનું પાલન કરનારને 10% ટેક્સ રિબેટ!

Jan 17, 2025 - 19:30
AMCની નવી યોજના: આ ત્રણેય બાબતોનું પાલન કરનારને 10% ટેક્સ રિબેટ!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં વધતા જતા શહેરીકરણ સાથે પ્રદુષણ પણ સમાંતર રીતે વધી રહ્યું છે. સરકાર દ્વારા પ્રદુષણને ઘટાડવા માટે અવારનવાર કોઈને કોઈ પગલા લેવાતા હોય છે એવામાં અમદાવાદ શહેરનું પ્રદુષણ ઘટાડવા માટે AMC નવી યોજના લાવી રહી છે જેનો રેવન્યુ કમિટીમાં નિર્ણય લેવાયો છે.

AMCની આ યોજના અંતર્ગત અમદાવાદ શહેરમાં રહેતા સ્થાનિકોમાં જેના ઘર પર ધાબે બગીચો, પર્કોલેતિંગ વેલ, અને 1 કિલો વોટનું સોલાર લાગેલું હશે તેને ટેક્ષ રીબેટ મળશે. આ ત્રણેય બાબતોનું પાલન કરનાર નાગરિકોને ટેક્ષમાં 10% રિબેટ આપવામાં આવશે. આ અગાઉ AMC દ્વારા માત્ર 2 મહિના પૂરતી યોજના શરૂ કરવામાં આવી હતી.

પ્રદૂષણ ઘટાડવા માટે AMCની નવી યોજના

  • અગાસીમાં બગીચો, પર્કોલેટિંગ વેલ હશે તો ટેક્સ લાભ
  • 1 કિલો વોટની સોલાર પેનલ હશે તેને પણ થશે લાભ
  • આ ત્રણેય બાબતોનું પાલન કરનારને 10% ટેક્સ રિબેટ
  • અગાઉ AMCએ 2 મહિના પૂરતી યોજના શરૂ કરી હતી
  • હવે આખા નાણાંકીય વર્ષ માટે યોજનાનો લાભ મળશે
  • ફ્લેટ ધારકો માટે પણ વિચારણા કરાશેઃ AMC

આ દરમિયાન બે મહિનામાં 37 અરજીઓ આવી હતી જેમાંથી 1 અરજીને માન્ય રાખવામાં આવી હતી. પરંતુ હવે નાગરિકોને સમગ્ર ચાલુ નાણાકીય વર્ષ માટે યોજનાનો લાભ મળશે. ફ્લેટ તેમજ હાઇ રાઈસ ઈમારતોમાં આ ત્રણેય બાબતોનું પાલન કરવું મુશ્કેલ છે તેથી આવા એકમોના રહીશોને પણ લાભ મળે તે માટે આગમી દિવસમાં જરૂરી વિચારણા કરવા નિર્ણય કરાયો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0