Ahmedabad:સ્વ. રૂપાણીની અંતિમ વિધિનો 20 લાખનો ખર્ચ ભાજપે પૂર્વ CMના પરિવાર પર નાખતા નારાજગી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયા બાદ તેમના પરિવારજનો હજુ શોકગ્રસ્ત છે ત્યાં જ અંતિમવિધિ અને બેસણા માટે રાજકોટમાં થયેલા 20 લાખથી વધુના ખર્ચના મુદ્દે એવું માનવામાં આવતું હતું કે આ ખર્ચ સ્થાનિક ભાજપ ઉઠાવશે પરંતુ હવે વિશાળ ડોમ અને પુષ્પાંજલી માટેના પુષ્પો સહિતના ખર્ચના બિલો સ્થાનિક ભાજપે ઉઠાવવાના બદલે સ્વર્ગસ્થ રૂપાણીના પરિવારજનો આ ખર્ચ ઉપાડે એવો સંકેત આપતા નારાજગી જોવા મળી રહી છે.
સ્વર્ગસ્થ રૂપાણીના અચાનક થયેલા મૃત્યુ બાદ કેન્દ્રીય નેતાગીરી દ્વારા ઊંડી સંવેદના વ્યકત કરવામાં આવી હતી અને પરિવારજનોને પક્ષ તેમની સાથે છે તેવી હામ આપી હતી. પૂર્વ મુખ્યમંત્રીના નિધન બાદ અમદાવાદ અને ગાંધીનગરમાં શ્રદ્ધાસૂમન અર્પણ કરવામાં આવ્યા હતા. આ બધી જ જવાબદારી પક્ષના પ્રદેશ નેતાઓએ અને સત્તા પક્ષના આગેવાનોએ સંભાળી હતી. પરંતુ તેમના વતન રાજકોટમાં મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં નીકળેલી અંતિમયાત્રા અને ટોચના આગેવાનોની હાજરીમાં યોજાયેલા બેસણાના કાર્યક્રમમાં જે વ્યવસ્થા ખર્ચ થયો હતો તે સ્થાનિક ભાજપ ઉઠાવશે તેવું માનીને અહીં ડોમ બેઠક વ્યવસ્થા વગેરે કરનારાઓ કોન્ટ્રાકટર બિલ માટે ભાજપ કાર્યાલયે ગયા ત્યારે તેમને એવું જણાવાયું હતું કે આ ખર્ચ સ્વર્ગસ્થ રૂપાણીના પરિવારજનો ઉઠાવશે.
પક્ષે સ્વ. રૂપાણી માટે કરવાનું હતું તે બધું જ કર્યું છે : રાજકોટ શહેર ભાજપ પ્રમુખ
શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ કહ્યું હતું કે, પાર્ટીએ જે કંઈ કરવાનું હતું તે બધુ જ કર્યું છે. તેમના પરિવારજનો દ્વારા પણ જે કંઈ કરવાનું હતું તે બધુ કરવામાં આવ્યું છે. આ મુદ્દો ચર્ચાનો જણાતો નથી. અમારા તરફથી કોઈને બિલ બાબતે તેમના પરિવાર પાસે કોઈને મોકલાયા નથી. બાકી આ મામલે મારી પાસે કંઈ વિગતો નથી.
What's Your Reaction?






