Ahmedabadમાં વરસાદ બંધ થયાના કલાકો વીત્યા છતાં ચાંદલોડિયા ગરનાળામાં વરસાદી પાણી યથાવત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સ્માર્ટસીટી કહેવાતા અમદાવાદ શહેરમાં વરસાદ બંધ થયાના કલાકો વીતી જવા છતાં ઘણા વિસ્તાર એવા છે જ્યાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે શહેરમાં થયેલી પ્રિ-મોન્સૂનની કામગીરી પર સવાલો ઉભા થાય તે સ્વાભાવિક છે. ચાંદલોડિયા વિસ્તારમાં રેલવે દ્વારા વર્ષો પહેલા ગરનાળું લોકોની અવરજવર કરવા માટે બનાવવામાં આવ્યું છે. જેનો ઉપયોગ આજે પણ લોકો કરી રહ્યા છે, પરંતુ ચોમાસા દરમિયાન પાણીના નિકાલ માટે ત્યાં કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા આજ દિન સુધી કરવામાં નથી.
અનેક લોકોના વાહનો બંધ પડી ગયા
દર વર્ષે શહેરમાં જ્યારે પણ વરસાદ પડે છે, ત્યારે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે. આ અંગે રજૂઆતો કરવા છતાં તંત્ર ગાઢ નિંદ્રામાં છે અને કોઈ પણ પ્રકારની કામગીરી વરસાદી પાણી ભરાઈ ના રહે અથવા તો પાણી ભરાયા બાદ તાત્કાલિક તેને ખાલી કરવામાં આવે તેવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. આમ તો મહાનગર પાલિકા દ્વારા પમ્પ મૂકી પાણી નિકાલ કરવામાં આવે છે, પરંતુ આ વખતે પાણી નિકાલ માટે કોઈ કામગીરી કરવામાં નથી. જેના કારણે અનેક લોકોના વાહનો બંધ પડી ગયા હતા.
ગાંધીનગરમાં વરસાદને લઈ વેધર વોચ કમિટીની મળી બેઠક
ગાંધીનગરના સ્ટેટ ડિઝાસ્ટર સેન્ટર ખાતે વરસાદને લઈ વેધર વોચ કમિટીની બેઠક છે, રાહત કમિશનર આલોક પાંડેની આગેવાનીમાં આ બેઠક મળી. ત્યારબાદ બેઠક અંગે જાણકારી આપતા રાહત કમિશનરે કહ્યું કે આજે મુખ્યમંત્રી સાથે બેઠક થઈ, 25 જિલ્લાના કલેક્ટર જોડાયા હતા, અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાયુ છે, જેના કારણે સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ પડ્યો છે. આવતીકાલે પણ વરસાદ રહેશે, બોટાદ, સાયલામા વધુ વરસાદ વરસ્યો છે. હાલમાં 12 NDRFની ટીમો છે, 2 ટીમો બોટાદમાં છે અને SDRFની 20 ટીમો છે. ડાંગ સિવાય તમામ જિલ્લામાં ટીમો પહોંચી છે. 18 લોકોના અલગ અલગ કારણોથી મોત થયા છે.
What's Your Reaction?






