Ahmedabadમાં જાહેર રોડ પરના ધાર્મિક દબાણને લઈ AMC એક્શનમાં

149 જેટલા ધાર્મિક સ્થળોને દૂર કરવા કે ખસેડવા નોટિસ ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા AMCની નોટિસ કાર્યવાહીને લઈ સ્થાનિક લોકો નોંધાવી રહ્યા છે વિરોધ અમદાવાદમાં જાહેર રોડ પરના ધાર્મિક દબાણને લઈ AMC એક્શનમાં છે. જેમાં 149 જેટલા ધાર્મિક સ્થળોને દૂર કરવા કે ખસેડવા નોટિસ આપવામાં આવી છે. ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા AMCની નોટિસ બાદ કાર્યવાહીને લઈ સ્થાનિક લોકો વિરોધ નોંધાવી રહ્યા છે.શહેરના જાહેર રોડ પરના ધાર્મિક દબાણોને લઈ મનપા એક્શનમાં શહેરના જાહેર રોડ પરના ધાર્મિક દબાણોને લઈ મનપા એક્શનમાં છે. જેમાં AMCના એસ્ટેટ વિભાગે જાહેર રોડ પરના 149 જેટલા ધાર્મિક સ્થળોને દૂર કરવા કે ખસેડી લેવા નોટિસો આપી છે. જાહેર રોડ પર આવેલા નાના મંદિરો, કબરો, મસ્જિદો અને મંદિર સહિતના ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા નોટિસ આપવામાં આવી છે. સુપ્રીમકોર્ટના આદેશ બાદ હાઇકોર્ટના મોનીટરીંગને લઈ અમદાવાદ મનપાની કાર્યવાહી શરૂ થઇ છે. જેમાં મનપાની કાર્યવાહીને લઈ સ્થાનિક લોકો વિરોધ નોંધાવી રહ્યા છે. તેમાં સુપ્રીમકોર્ટનાં આદેશ બાદ AMC રસ્તા પર આવતા ધાર્મિક સ્થાનો હટાવશે. AMCની કામગીરીથી શહેરીજનોમાં રોષ ફેલાયો છે AMCની કામગીરીથી શહેરીજનોમાં રોષ ફેલાયો છે. જેમાં લો ગાર્ડન પાસે આવેલ જોગણી માતાનું મંદિર હટાવવાને લઈને રહીશોમાં આક્રોશ છે. તેમજ મંદિર નહિ હટાવવા માટે એલિસબ્રીજ ધારાસભ્યને રજૂઆત કરાઇ છે. જેમાં રહીશો દ્વારા ધારાસભ્ય અમિત શાહને રજૂઆત કરાઈ છે કે સો વર્ષ જૂનું મંદિર ન તોડવા રહીશોની અપીલ છે. રહીશોએ જણાવ્યું છે કે મંદિરના દસ્તાવેજ સહિતના ડોક્યુમેન્ટસ અમારી પાસે છે. મંદિર ગેરકાયદેસર નથી. ધારાસભ્ય અમિત શાહે રહીશોને હૈયાધારણા આપી છે. તેમજ કોર્પોરેશન સત્તાધીશો સાથે વાત કરીને યોગ્ય નિવેડો લવાશે. તેમજ અમિત શાહે જણાવ્યું છે કે દેશમાં સુપ્રીમ કોર્ટની કોઈ ઉપર નથી ત્યારે આ મામલે શું કરી શકાય તે અંગે ચર્ચા કરાશે.

Ahmedabadમાં જાહેર રોડ પરના ધાર્મિક દબાણને લઈ AMC એક્શનમાં

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 149 જેટલા ધાર્મિક સ્થળોને દૂર કરવા કે ખસેડવા નોટિસ
  • ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા AMCની નોટિસ
  • કાર્યવાહીને લઈ સ્થાનિક લોકો નોંધાવી રહ્યા છે વિરોધ

અમદાવાદમાં જાહેર રોડ પરના ધાર્મિક દબાણને લઈ AMC એક્શનમાં છે. જેમાં 149 જેટલા ધાર્મિક સ્થળોને દૂર કરવા કે ખસેડવા નોટિસ આપવામાં આવી છે. ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા AMCની નોટિસ બાદ કાર્યવાહીને લઈ સ્થાનિક લોકો વિરોધ નોંધાવી રહ્યા છે.

શહેરના જાહેર રોડ પરના ધાર્મિક દબાણોને લઈ મનપા એક્શનમાં

શહેરના જાહેર રોડ પરના ધાર્મિક દબાણોને લઈ મનપા એક્શનમાં છે. જેમાં AMCના એસ્ટેટ વિભાગે જાહેર રોડ પરના 149 જેટલા ધાર્મિક સ્થળોને દૂર કરવા કે ખસેડી લેવા નોટિસો આપી છે. જાહેર રોડ પર આવેલા નાના મંદિરો, કબરો, મસ્જિદો અને મંદિર સહિતના ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા નોટિસ આપવામાં આવી છે. સુપ્રીમકોર્ટના આદેશ બાદ હાઇકોર્ટના મોનીટરીંગને લઈ અમદાવાદ મનપાની કાર્યવાહી શરૂ થઇ છે. જેમાં મનપાની કાર્યવાહીને લઈ સ્થાનિક લોકો વિરોધ નોંધાવી રહ્યા છે. તેમાં સુપ્રીમકોર્ટનાં આદેશ બાદ AMC રસ્તા પર આવતા ધાર્મિક સ્થાનો હટાવશે.

AMCની કામગીરીથી શહેરીજનોમાં રોષ ફેલાયો છે

AMCની કામગીરીથી શહેરીજનોમાં રોષ ફેલાયો છે. જેમાં લો ગાર્ડન પાસે આવેલ જોગણી માતાનું મંદિર હટાવવાને લઈને રહીશોમાં આક્રોશ છે. તેમજ મંદિર નહિ હટાવવા માટે એલિસબ્રીજ ધારાસભ્યને રજૂઆત કરાઇ છે. જેમાં રહીશો દ્વારા ધારાસભ્ય અમિત શાહને રજૂઆત કરાઈ છે કે સો વર્ષ જૂનું મંદિર ન તોડવા રહીશોની અપીલ છે. રહીશોએ જણાવ્યું છે કે મંદિરના દસ્તાવેજ સહિતના ડોક્યુમેન્ટસ અમારી પાસે છે. મંદિર ગેરકાયદેસર નથી. ધારાસભ્ય અમિત શાહે રહીશોને હૈયાધારણા આપી છે. તેમજ કોર્પોરેશન સત્તાધીશો સાથે વાત કરીને યોગ્ય નિવેડો લવાશે. તેમજ અમિત શાહે જણાવ્યું છે કે દેશમાં સુપ્રીમ કોર્ટની કોઈ ઉપર નથી ત્યારે આ મામલે શું કરી શકાય તે અંગે ચર્ચા કરાશે.