Ahmedabadમાં જગન્નાથ મંદિરના ભંડારામાં કાળી રોટી અને ધોળી દાળનો પ્રસાદ, જાણો મહત્ત્વ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના જગન્નાથ મંદિરમાં આજે ભક્તિમય માહોલ છે. રથયાત્રા પહેલા આજે જગન્નાથ મંદિરમાં ધામધૂમથી જળયાત્રાની શોભાયાત્રા નીકળશે. જળયાત્રા નિમિત્તે મંદિરમાં આજે જગન્નાથ મંદિરમાં ભંડારાનું આયોજન કરાયું છે. આ ભંડારામાં ભક્તોને વિશેષ પ્રસાદ આપવામાં આવે છે. ભંડારામાં કાળી રોટી અને ધોળી દાળના પ્રસાદ ભક્તો સહિત સંતો અને મહંતો લહાવો લેતા હોય છે.
108 કળશ સાથે જળયાત્રાની શોભાયાત્રા
અષાઢી બીજના રોજ દેશભરમાં ભગવાન વિષ્ણુને સમર્પિત રથાત્રાની ધામધૂમથી ઉજવણી થતી હોય છે. અમદાવાદના જગન્નાથ મંદિરમાં પણ રથયાત્રાની ઉજવણીને લઈને તડામાર તૈયારીઓ થઈ ગઈ છે. દર વર્ષે રથયાત્રાના 15 દિવસ પહેલા જળયાત્રાની શોભાયાત્રા નીકળે છે. જગન્નાથ મંદિરમાં રથયાત્રામાં વર્ષોથી ભક્તોને માલપુઆ, ગાંઠિયા અને બુંદીની પ્રસાદી આપવામાં આવે છે. અને સાથે જળયાત્રા નિમિત્તે કરાતા ભંડારામાં પણ માલપુઆ, કાળી રોટી અને ધોળી દાળની પ્રસાદી બને છે.
આજે અમદાવાદમાં જગ્નાથ મંદિરમાં જગન્નાથ મંદિરમાં વર્ષોથી માલપુઆ, ગાંઠિયા અને બુંદીની પ્રસાદી આપવામાં આવે છે પણ સાથે જ માલપુઆ, કાળી રોટી અને ધોળી દાળની પ્રસાદી બને છે. કેમ ભંડારામાં આ ખાસ પ્રસાદ આપવામાં આવે છે અને શું છે તેનું મહત્ત્વ તે જણાવીએ.
આ વિશેષ પ્રસાદની કોણે કરી શરૂઆત
રથયાત્રા સાથે "કાળી રોટી ધોળી દાલ"ની એક લોકવાયકા જોડાયેલી છે. ભંડારામાં "કાળી રોટી ધોળી દાલ"નો પ્રસાદ આપવામાં આવે છે. વર્ષો પહેલા જગન્નાથ મંદિરના મહંત નરસિંહદાસજીએ ભંડારામાં "કાળી રોટી ધોળી દાલ" પ્રસાદ આપવાની શરૂઆત શરૂ કરી હતી. તેમના બાદ જગન્નાથ મંદિરના તમામ મહંત દ્વારા આ આજે પણ ભક્તોને "કાળી રોટી ધોળી દાલ" પ્રસાદ આપવાની પરંપરાનું પાલન કરવામાં આવે છે.
"કાળી રોટી ધોળી દાળ પ્રસાદનું મહત્ત્વ
રથયાત્રાની ઉજવણીમાં દૂર દૂરથી સંતો અને મહંતો ભાગ લેવા આવે છે. સાધુસંતો લાંબા સમય સુધી પરિભ્રમણ કર્યા બાદ મંદિરે પહોંચતા હોય છે. અને સમયમાં તેઓ રસાસ્વાદ વિનાનું ભોજન કરતા હોય છે. આ પ્રસાદીનો ઉદેશ્ય દૂરદૂરથી દર્શન કરવા આવતા ભક્તો અને ગરિબોને સાત્વિક ભોજન મળી રહે તે છે. આ ઉપરાંત મંદિરમાં આવતાં ભક્તો ભૂખ્યાં ના જાય તેવા હેતુથી મહંત દ્રારા કાળી રોટી ધોળી દાળના પ્રસાદ આપવાની શરૂઆત કરાઈ હતી અને આ પરંપરા આજે પણ ચાલુ છે.
જણાવી દઈએ કે ભગવાન જગન્નાથને માલપૂવા અતિપ્રય છે. એટલે રથયાત્રામાં ભાગ લેનાર ભક્તો અને સંતો-મહંતોને ભંડારામાં અતિપ્રિય માલપૂવાનો પ્રસાદ આપવામાં આવતો હોય છે. "કાળી રોટી ધોળી દાળ"ના પ્રસાદમાં કાળી રોટી એટલે કે માલપુઆ અને ધોળી દાળ એટલે દૂધપાકનો પ્રસાદ લોકોને આપવામાં આવે છે.
What's Your Reaction?






