Ahmedabadમાં Coronaના કેસની સંખ્યા 1 હજારને પાર, 761 એક્ટિવ કેસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદમાં કોરોનાના કેસની સંખ્યા એક હજારને પાર થઇ છે. કોરોનાના કુલ કેસનો આંકડો 1091એ પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 175 કેસ નોંધાયા છે. તો રાહતની વાત એ છે કે, છેલ્લા 24 કલાકમાં એક પણ મોત કોરોનાના કારણે થયા નથી. કોરોના એક્ટિવ કેસનો આંકડો 761એ પહોંચ્યો છે. સૌથી વધુ કેસ પશ્ચિમ ઝોન, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં નોંધાયા છે. પશ્ચિમ ઝોનમાં 237 કેસ તો ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 229 કેસ સામે આવ્યા છે. મધ્ય ઝોનમાં 23, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 126 કેસ, ઉત્તર ઝોનમાં 30, પૂર્વ ઝોનમાં 34 અને દક્ષિણ ઝોનમાં 82 કેસ નોંધવામાં આવ્યા છે.
છેલ્લા 24 કલાકમાં કોરોનાના 175 કેસ નોંધાયા
કોરોના કહેર સામે લોકોએ નિયમો પાળવા જરુરી બન્યા છે. કારણ કે જે રફતારે કોરોના કેસ વધ્યા છે. તે સામે સાવચેતી રાખવી જરુરી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 175 કેસ નોંધાયા છે. પરંતુ સદનસીબે કોઇનું મોત નિપજ્યુ નથી. સૌથી વધુ કેસ ઉત્તર-પશ્ચિમ ઝોનમાં નોંધાયા હોવાનું સામે આવ્યુ છે. દરેક સ્થળે 100થી વધુ કેસ પ્રકાશમાં આવ્યા છે. દર્દીઓની સંખ્યા વધી રહી છે. અને દર્દીઓની સેવા કરતા તબીબો પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. દવાખાના, હૉસ્પિટલો, સિવિલમાં કોરોના દર્દીઓ વધી રહ્યા છે.
કોરોના સાથે અન્ય બીમારીઓ પણ વધી
અમદાવાદમાં કોરોના તો વધ્યો છે. પરંતુ અન્ય બીમારીઓએ પણ માથું ઉચક્યુ છે. વાયરલ ફિવર વધતા દર્દીઓમાં કમજોરી જોવા મળી રહી છે. શરદી-ખાંસીના કેસ પણ વધી રહ્યા છે. બદલતી ઋતુના કારણે બીમારીઓ વધી રહી છે. એક તરફ તડકો તો બીજી તરફ ચોમાસાનું વાતાવરણ થતા દર્દીઓની સંખ્યા વધી છે.
What's Your Reaction?






