Ahmedabad:મને કેમ જીવાડયો, મરી કેમ ના ગયો:પ્લેનક્રેશમાં બચીગયેલા વિશ્વાસનું હૈયાફાટ રૂદન

Jun 19, 2025 - 03:30
Ahmedabad:મને કેમ જીવાડયો, મરી કેમ ના ગયો:પ્લેનક્રેશમાં બચીગયેલા વિશ્વાસનું હૈયાફાટ રૂદન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ પ્લેન ક્રેશમા 'લોન સર્વાઈવર' તરીકે જાણીતા વિશ્વાસ રમેશે આજે બચી ગયાનો અફસોસ થતો હોય તેવી વેદના તેમણે વ્યકત કરી હતી. તેમની સાથે જ પ્લેનમાં મુસાફરી કરતા સગા ભાઈએ જાન ગુમાવ્યો હતો અને આજે વતન દીવમાં તેની અર્થીને કાંધ આપતી વખતે વિશ્વાસ રમેશનું હૈયાફાટ રૂદન કોઈને પણ હચમચાવી દે તેવું હતું. સગા નાના ભાઈને કાંધ આપતી વખતે વિશ્વાસે પોતે કેમ આ દુર્ઘટનામાં બચી ગયો, મરી કેમ ના ગયો તેમ કહીને ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડયો હતો. તેનું રુદન જોઈને ઉપસ્થિત સૌની આંખ ભીની બની હતી.

અમદાવાદમાં ગત ગુરુવારે સર્જાયેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં એકમાત્ર વિશ્વાસ રમેશ બચી ગયા હતા. બચી ગયા બાદ હોસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવી હતી. હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ માતા પાસે દીવ પહોંચતા જ તે ચોધાર અશ્રુએ રડયા હતા. કેમ કે તેનો નાનો ભાઈ અજય પ્લેનમાં સીટ નંબર 11-જે ઉપર બેઠો હતો. બંને ભાઈ લંડન જતા હતા ત્યારે ટેકઓફ થયા બાદ પ્લેન ક્રેશ થતા અજયનું મોત થયું હતું. વિશ્વાસ રમેશે આજે ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડતા કહ્યું કે હું બચ્યો ન હોત તો સારું હતું, મારે પણ મરી જવું જોઈતુ હતું.

12 જૂનના રોજ અમદાવાદ-લંડન વિમાન દુર્ઘટનામાં ભોગ બનેલા દીવના 14 પૈકી સાત મૃતદેહ આજે દીવ આવી પહોંચતા ગમગીન વાતાવરણ સર્જાયું હતું. અત્યાર સુધી કુલ 12 મૃતદેહ દીવ આવી ચૂકયા છે. હવે માત્ર બે મૃતદેહ બાકી છે. તે પણ ટૂંક સમયમાં આવવાની શકયતા છે. આજે સાત મૃતદેહમાં આદિવ ગિરીશભાઈ, તકસ્વી ગિરીશભાઈ ફૂદમ, અજયકુમાર રમેશ, મનીષ બાબુભાઈ, હેમાક્ષી શાંતિલાલ, વનિતા કાનાભાઈ અને ફૈઝાન રફિકભાઈ છે. આ મૃતદેહ તેમના ઘરે પહોંચ્યા ત્યારે કરુણ દૃશ્યો સર્જાયા હતા.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0