Ahmedabadના આંબાવાડીમાં સબ-વે સીલ કરાયું, રસોડામાં જીવતા અને મરેલા વંદ મળ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના આંબાવાડીમાં વિસ્તારમાં આવેલ સબ-વે સીલ કરવામાં આવ્યું છે, રસોડામાં જીવતા અને મરેલા વંદ મળી આવ્યા હોવાથી કોર્પોરેશને સીલ કર્યુ છે, આરોગ્ય વિભાગે તપાસ કરતા ગંભીર બેદરકારી સામે આવી છે, બેદરકારી સામે આવતા મનપાએ સબ-વે સીલ કર્યુ છે, આરોગ્યના નિયમોનો અનેક જગ્યા પર ભંગ થઈ રહ્યો હતો.
મનપાએ તપાસ કર્યા બાદ સીલ કર્યુ સબ-વે
બહારનું વધારે ખાતા સ્વાદ રસિકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં મનપાએ આંબાવાડી વિસ્તારમાં આવેલ સબ-વે સીલ કર્યુ છે, કોર્પોરેશનને માહિતી મળી હતી કે સબ-વેના રસોડામાં ગંદકી હોય છે અને કોર્પોરેશનના ફુડ વિભાગે ઓચિંતી રેડ કરી હતી અને રેડ દરમિયાન સબ-વેને સીલ કરવામાં આવ્યું છે, અનહાઈજેનિક કન્ડિશનમાં ખાવા-પીવાની વસ્તુઓ બનાવવામાં આવતી હોવાથી તેને સીલ કરીને નોટિસ ફટકારવામાં આવી છે.
અમદાવાદ કોર્પોરેશને અલગ-અલગ જગ્યાએથી ફૂડના નમૂના લીધા
હાલ વરસાદી સિઝન હોવાથી રોગચાળો પણ વધ્યો છે ત્યારે અમદાવાદ મ્યુ.કોર્પોરેશને અલગ-અલગ જગ્યાએથી ફૂડના નમૂના પણ તપાસ માટે લીધા છે, 22 જૂનથી 28 જૂન સુધીમાં મીઠાઈ, ઘી, ખાદ્યતેલના 5, આઇસ્ક્રીમ -કુલ્ફીના 3, નમકીન અને બેસનના 3, મસાલાના 2 તેમજ અન્ય 11 એમ કુલ 76 નમૂના લેવામાં આવ્યા છે. ફુડ વિભાગની ટીમ દ્વારા આ સમયગાળા દરમિયાન 344 જેટલા વિવિધ ખાદ્ય એકમોના તપાસી 134 નોટિસ આપવામાં આવી છે.
What's Your Reaction?






