Ahmedabadના SG હાઈવે પર નિર્માણાધીન બ્રિજ પરથી એંગલ પડતા બે લોકો થયા ઈજાગ્રસ્ત, એક મોટી દુર્ઘટના ટળી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના વ્યસ્ત એસજી હાઈવે પર એક મોટી દુર્ઘટના થતા માંડ માંડ ટળી છે. સરખેજ પાસે નિર્માણાધીન બ્રિજ પરથી અચાનક લોખંડનો એક મોટો એંગલ નીચે પડ્યો હતો. જેના કારણે બે રાહદારીઓ ઘાયલ થયા છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જે દર્શાવે છે કે જો એંગલ કોઈ વાહન પર પડ્યો હોત તો મોટી જાનહાનિ થઈ શકત. આ ઘટના ત્યારે બની જ્યારે બ્રિજ પરથી અચાનક એંગલ છૂટો પડીને નીચે પડ્યો.
બ્રિજ પરથી એંગલ પડ્યાના સીસીટીવી આવ્યા સામે
આ સમયે નીચેથી પસાર થઈ રહેલા બે લોકો તેના નીચે આવી ગયા હતા અને તેમને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સદનસીબે કોઈ ગંભીર ઈજા થઈ નથી. આ ઘટના બાદ સલામતીના નિયમો અને નિર્માણ કાર્યની ગુણવત્તા પર ગંભીર સવાલો ઉભા થયા છે. સવાલ એ છે કે જો આ એંગલ કોઈ વાહન, ખાસ કરીને કોઈ ટુ-વ્હીલર પર પડ્યો હોત તો તેની જવાબદારી કોની હોત?
સમગ્ર ઘટના મામલે સરખેજ પોલીસે તપાસ હાથ ધરી
આ પ્રકારની બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે. આ સમગ્ર મામલે સરખેજ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી છે. પોલીસે બ્રિજનું કામ કરી રહેલા કોન્ટ્રાક્ટર અને અન્ય જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવી જોઈએ. શહેરમાં ચાલી રહેલા વિવિધ નિર્માણ કાર્યો દરમિયાન સલામતીના નિયમોનું સખત પાલન થાય તે અત્યંત જરૂરી છે
What's Your Reaction?






