Ahmedabad: શેઢી કેનાલમાં રિપેરિંગ, તંત્રના ભોગે પૂર્વના વિસ્તારોમાં પાણી માટે હાડમારી

Jun 5, 2025 - 01:00
Ahmedabad: શેઢી કેનાલમાં રિપેરિંગ, તંત્રના ભોગે પૂર્વના વિસ્તારોમાં પાણી માટે હાડમારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પૂર્વ અને દક્ષિણના વિસ્તારોને શેઢી કેનાલમાંથી પાણીનો જથ્થો પૂરો પાડવામાં આવી રહ્યો છે. પરંતુ સિંચાઈ વિભાગ દ્વારા પ્રિ-મોન્સૂન એકશન પ્લાન અંતર્ગત શેઢી કેનાલમાં દરવાજા રિપેરિંગ માટે 3 જૂનના રોજ શેઢી કેનાલમાં પાણી બંધ કરવામાં આવ્યું છે.

જેના કારણે AMC સંચાલિત રાસ્કા જળ શુદ્ધીકરણ મથક પાસે કેનાલમાં પાણીનું લેવલ ઓછું થયું હતું. આ સ્થિતિમાં પૂર્વ ઝોનના વસ્ત્ર્રાલ વોર્ડ, રામોલ-હાથીજણ વોર્ડ અને દક્ષિણ ઝોનના વટવા, લાંભા અને ઈસનપુર વોર્ડમાં વોટર ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશનોમાંથી બુધવારે સાંજનો પાણી પુરવઠો મળ્યો ન હતો. તેમજ ગુરૂવારે સવારે પણ પાણીના ઉપલબ્ધ જથ્થા મુજબ પાણી વિતરણ કરવામાં આવશે અને તમાં પણ અછત જોવા મળશે. હાલમાં શેઢી કેનાલ બંધ કરી હોવાથી રાસ્કા જળ શુદ્ધિકરણ મથકમાં દરરોજ ચાલતા 2 પંપની જગ્યાએ ઉપલબ્ધ પાણીના જથ્થા મુજબ 1 પંપ ચલાવવામાં આવ્યો હતો.

જેના બુધવારે સવારથી પાણીના લેવલમાં સતત ઘટાડો થઈ રહેલો હોવાથી રાસ્કા જળ શુદ્ધીકરણ મથકમાં બપોરે પંપીંગ સંપૂર્ણ બંધ કરવામાં આવ્યું છે. તેમજ રાસ્કાની અવેજીમાં કોતરપુર ખાતે વધારાનો પંપ ચલાવી પાણીની ઘટ મહદ અંશે પૂર્ણ કરવામાં આવશે. નડીયાદ સિંચાઈ વિભાગ સાથે ચર્ચા થયા મુજબ તેઓ દ્રારા વણાકબોરી ડેમમાંથી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. જે આજે સાંજ સુધી રાસ્કા જળ શુદ્ધિકરણ મથક પાસે મળી રહેશે ત્યારબાદ રાસ્કા જળ શુદ્ધીકરણ મથકમાં પંપીંગ કાર્યરત થઈ શકશે અને તેમાં કેટલો સમય લાગશે તે હજી જાહેર કરવામાં આવ્યો નથી. જેના પરિણામે લોકોને મુશ્કેલી પડી શકે છે.

કયા ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશન પર અસર થશે?

રાસ્કા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ હાલ પુરતો બંધ કરાયો હોવાથી વસ્ત્ર્રાલ વોર્ડમાં અબજીબાપા, પંપ ઉપરાંત આર.ટી.ઓ વોટર ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશન, રામોલ-હાથીજણ વોર્ડમાં રામોલ, સાત તલાવડી, વિવેકાનંદનગર, વિંઝોલ, હાથીજણ, વિનોબાભાવે નગર અને જશોદાનગર વોટર ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશન, વટવા વોર્ડમાં નિગમ,માટી ખાના, ઈ.ડબ્લ્યુ.એસ, વટવા અને ગામના વોટર ડિસ્ટ્રિબ્યૂશન સ્ટેશન તેમજ ઈસનપુર વોર્ડમાં સ્મૃતિમંદિર, લાંભામાં શ્રીનાથ, લાંભા ગામ, નારોલ ગામ સહિત કુલ 22 વોટર ડિસ્ટ્રિબ્યૂશનલ સ્ટેશનના પાણી સપ્લાય ઉપર અસર થવા જોવા મળી રહી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0