Ahmedabad : શહેરમાં આવેલા ગાર્ડન બન્યા અસામાજિક તત્વોનો અડ્ડો! પદાધિકારીઓને જાણ હોવા છતાં બની રહ્યા છે મૂકપ્રેક્ષક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ શહેરમાં આવેલા ગાર્ડન હવે નાના બાળકોને રમવા કે સિનિયર સિટીઝનને બેસવા માટે નહીં પણ અસામાજિક તત્વોને બેઠક બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદ શહેરમાં 300થી વધારે ગાર્ડન આવેલા છે, પરંતુ તેની સુરક્ષાના નામે AMC તંત્ર હાથ ઊંચા કરી રહ્યું હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. મહાનગર પાલિકાની રી-ક્રિએશન કમિટીની બેઠક મળી હતી, જેમાં બાપુનગર વિસ્તારમાં આવેલા ગાર્ડનનો મુદ્દો ઉછળ્યો હતો.
રી-ક્રિએશન કમિટીના ચેરમેને હાથ ઊંચા કરી દીધા
જેમાં સ્થાનિક કોર્પોરેટર દ્વારા રજુઆત કરવામાં આવી હતી કે ગાર્ડનમાં સિક્યુરિટી નથી હોતી અને અસામાજિક તત્વો દ્વારા ન્યુસન્સ ફેલાવવામાં આવી રહ્યું છે. આ મામલે હવે રી-ક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદી દ્વારા હાથ ઊંચા કરી દેવામાં આવ્યા હતા અને કહ્યું હતું કે અમુલને જે ગાર્ડન સંચાલન માટે આપેલા છે તેની જવાબદારી તેમની હોય છે. પરંતુ સવાલ એ ઉઠે છે કે સિક્યુરિટી તેમની જવાબદારી છે. પરંતુ ગાર્ડનમાં સીસીટીવી કેમેરા રાખવા જોઈએ તે જોવાની જવાબદારી AMCની છે, પરંતુ તેને લઈને કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.
ગાર્ડનની સિક્યુરિટીને લઈને કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી
અત્યાર સુધી તો જ્યારે સંચાલન અમુલ પાસે નહોતું ત્યારે પણ AMC દ્વારા ગાર્ડનની સિક્યુરિટીને લઈને કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. પૂર્વ અમદાવાદના ઘણા ગાર્ડન એવા છે કે જેમાં અસામાજિક તત્વો દ્વારા ન્યુસન્સ ફેલાવવામાં આવે છે. આ સમગ્ર બાબતે પદાધિકારીઓને પણ જાણ હોવા છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. ત્યારે સ્થાનિક લોકો માગ કરી રહ્યા છે કે શહેરમાં આવેલા ગાર્ડનમાં સુરક્ષા સઘન કરવામાં આવે અને ન્યસન્સ ફેલાવતા અસામાજિક તત્વો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.
What's Your Reaction?






