Ahmedabad: મહાકુંભની S.T. બસની 119 લોકોએ એડવાન્સ બુક ટિકિટ રદ કરાવી દીધી

Feb 2, 2025 - 05:30
Ahmedabad: મહાકુંભની S.T. બસની 119 લોકોએ એડવાન્સ બુક ટિકિટ રદ કરાવી દીધી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સોમવારે પ્રયાગરાજમાં સંગમતીર્થ સ્થાને વસંતપંચમીનું મહાકુંભ મેળાનું ચોથું શાહી સ્નાન થશે. આ દિવસે કરોડો શ્રદ્ધાળુંઓ ગંગા-યમુનાના વિવિધ ઘાટ પર સિદ્ધિ અને સાધ્ય યોગમાં સ્નાન કરીને ધન્યતા અનુભવશે. ત્યારે ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો મહાકુંભમાં આ શાહી સ્નાનો લાભ લેવા ઉત્સુક છે.

ખાનગી લકઝરી બસો અને ખાનગી વાહનોમાં મોટાભાગના લોકો પ્રયાગરાજ માટે રવાના પણ થઇ ગયા છે.બીજી તરફ મૌની અમાવસ્યાના દિવસે પ્રયાગરાજમાં ભાગદોડ મચી જતા 30 જેટલા લોકોના મોત બાદ લોકોમાં એક ડર પણ પેસી ગયો છે. ભાગદોડની દુર્ઘટના સિવાય પણ કાચા-પોચા હૃદયના, બીપી, ડાયાબિટીશ,અસ્થમાં સહિતની બીમારી વાળા લોકોના આ ભીડમાં મોત થયા હોવાના સમાચારો જાણીનો હવે લોકો જીવના જોખમે મહાકુંભમાં જવાનું ટાળી રહ્યા છે. એસટીની એસી વોલ્વો બસમાં એડવાન્સ બુકિંગ કરાવનારા 119 લોકોએ તેમની ટિકિટો રદ કરાવી પ્રયાગરાજ જવાનું ટાળી દીધું છે. અમદાવાદથી પ્રયાગરાજ જતી ટ્રેનો હાઉસફૂલ દોડી રહી છે. તો બીજી તરફ અમદાવાદથી પ્રયાગરાજ માટેના વિમાની ભાડા પણ 60થી વધુના બોલાઇ રહ્યા છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0