Ahmedabad: મણિનગરમાં ગોર્વધનરામ ત્રિપાઠી વાંચનાલયની છતનો જર્જરિત ભાગ પડતા વિદ્યાર્થીઓ ભયભીત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દક્ષિણ ઝોનમાં આવેલા મણિનગર રામબાગ સ્થિત MJ લાયબ્રેરી સંચાલિત ગોર્વધનરામ ત્રિપાઠી મ્યુનિસિપલ વાંચનાલયના છતનો એક ભાગ ધડામ કરતા નીચે પડયો હતો.
આ દરમિયાન વિદ્યાર્થીઓ વાંચનાલયમાં વાંચન કરી રહ્યા હોવાના કારણે મોટી જાનહાનિ થઈ ન હતી. પરંતુ અહીં ઘણી સરકારી કચેરીઓ પણ આવેલી છે અને તેના કારણે ભારે અવરજવર પણ રહેતી હોય છે. બીજી તરફ મ્યુનિસિપલ વાંચનાલયને હજી ચાર દિવસ પહેલા જર્જરિત બની ચુકેલ આ સકુંલના સમારકામ માટે સંબંધિત વિભાગને પત્ર લખી સત્તાવાર જાણ કરી હતી. આ જોતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતાં ચોમાસામાં બિલ્ડિંગમાં ફરી નુકસાન થવાની ભીતિ રહેલી છે.
આશરે 65 વર્ષ જૂના મણિનગરના મ્યુનિ. વાંચનાલય જર્જરિત સ્થિતિમાં પહોંચી ગયું હતું અને તેના સમારકામની લાંબા સમયથી જરૂરિયાત રહી હતી. બે માળના વાંચનાલય સંકુલમાં અનેક જોખમી તિરડો પડી ચુકી છે અને ધાબા પરની પેરાફીટ પણ તૂટી પડે તેવી સ્થિતિમાં જ પહોંચી ગઈ છે. તેમજ તેનો એક ભાગ ગમે ત્યારે ધરાશયી થાય તેવી ભીતિ રહેલી છે. આ અંગે હજી ચાર દિવસ પહેલાં જ વાંચનાલયના રિપેરિંગ કામ કરવા માટે અને તેના ક્ષતિ ગ્રસ્ત ભાગને તાકીદે રિપેરિંગ કરવા માટે સત્તાવાર પત્ર લઈને જણાવ્યું હતું. પણ તંત્ર જાગ્યું ન હતું અને બુધવારે સવારે બાથરૂમની છતનો એક ભાગ તૂટીને નીચે પડયો હતો અને તેના કારણે વિદ્યાર્થીઓ ભયભીત બની ગયા હતા, તેમજ વાંચનાલયની બહાર દોડી આવ્યા હતા.
બીજી તરફ આ બિલ્ડિંગની અંદર જ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની મણિનગર ઝોનલ કચેરી નીચે ભાંેયતળિયે હાલમાં કાર્યરત છે, જેની અંદર રોજના સેંકડો રેશનકાર્ડ ધારકો હાલમાં eKYC સહિતના બારકોડ રેશનકાર્ડમાં સુધારા વધારા માટે આવી રહ્યા છે. ત્યારે જ આજે સવારે આ સકુંલના બીજા માળના ધાબાની છત નો ભાગ નીચે ધરાશયી થયો હતો. એક તરફ મ્યુનિ. કોર્પોરેશનનું તંત્ર જર્જરિત ઈમારતોનો ભાગ ઉતારવા માટે નોટિસ આપતા રહે છે. આ સ્થિતિમાં તંત્ર અકેમ તેમાં તસ્દી ન લીધી તે મોટો પ્રશ્ન છે.
દક્ષિણ ઝોનની AMC કચેરીની અડીને આવેલી હોવા છતાં ધ્યાન આપવામાં આવતું નથી
મણિનગર અને તેના આસપાસના મોટી સંખ્યામાં સરકારી પરીક્ષા અને વિવિધ પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ અહીં વાંચનાલયનો ઉપયોગ કરે છે. જ્યારે આ વાંચનાલય દક્ષિણ ઝોની મ્યુનિ. કચેરીને અડીને જ આવેલી છે. જેમાં નાયબ મ્યુનિ. કમિશઅનર સહિતના અધિકારીઓ દરરોજ હાજર રહેતા હોય છે. તેમ છતાં તેમની આ બિલ્ડિંગ પર કેમ નજર ન પડી તેવા સવાલો ઉઠી રહ્યા છે. તેમજ પુરવઠા વિભાગની ઓફિસ પણ આ જ બિલ્ડિંગમાં આવેલી છે અને તેમાં દરરોજના મોટી સંખ્યામાં લોકોની અવરજવર થતી રહે છે, ત્યારે AMC ના અધિકારીઓ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઇને બેસી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
What's Your Reaction?






