Ahmedabad: ભગવાન જગન્નાથની જળયાત્રા માટે તડામાર તૈયારીઓ શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભગવાન જગન્નાથની 148મી ભવ્ય રથયાત્રાની હવે ગણતરીના દિવસો બાકી છે અને તેના માટેની તૈયારીઓ શરૂ થઈ રહી છે. આ પહેલાં ભગવ જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાની 11 જૂનના જળયાત્રા યોજાશે.
જેમાં પારંપરિક રીતે સાબરમતી નદીમાંથી જળ અને અન્ય પવિત્ર નદીઓના જળથી ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે. મિની રથયાત્રા તરીકે જાણીતા આ પ્રસંગમાં ગૃહરાજ્યમંત્રીથી લઈ મેયર તેમજ તમામ નેતાઓ હાજર રહેશે. આ દિવસે જ ભગવાનને એકવાર માટે ગજવેશ ધારણ કરાવવામાં આવશે.
આ અંગેની માહિતી અનુસાર, સાબરમતી નદીના કિનારે ગંગા પૂજન વિધિ થશે. મંદિરથી સાબરમતી નદીના કિનારા સુધીની યાત્રામાં હાથી, બેન્ડવાજા, ધજા પતાકા, ભજન મંડળી અને નાના અખાડા જોડાશે. 108 કળશમાં જળ ભરીને મંદિરે લાવી ભગવાનનો ભવ્ય જળાભિષેક કરવામાં આવશે. જળાભિષેક બાદ ભગવાન ગજવેશ ધારણ કરશે. જળયાત્રા બાદ ત્રણેય ભાઈ બહેન સરસપુર ખાતે મામાના ઘરે જશે.
રથયાત્રાને લઈને ત્રણેય રથના રંગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. આ ત્રણેય રથને સજાવવામાં આવ્યા છે. ભગવાન જગન્નાથનો નંદીઘોષ તરીકે ઓળખાતો રથ જે સૂર્યનું પ્રતીક ગણાય એવા પીળો રંગ, જ્યારે બહેન સુભદ્રાજીના રથને લાલ રંગથી તો ભગવાન બલરામના રથને એકતાના પ્રતિક ગણાતા એવા લીલા કલરનો રંગથી સજાવવામાં આવ્યો છે.
What's Your Reaction?






