Ahmedabad: ભગવાન જગન્નાથના મોસાળમાં રોડ-રસ્તાની કામગીરી બાકી રહેતાં ભક્તોની મુશ્કેલી વધી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રથયાત્રા જ્યારે મોસાળ સરસપુરમાં પહોંચે છે ત્યારે અલગ અલગ પોળમાં જાણે પોતાના ઘરોમાં જ લગ્ન પ્રસંગ હોય તેવી રીતે તૈયારીઓ થઈ રહી છે.
આજથી જ ભોજન માટેના રસોડા શરૂ થયા છે. જેમાં અંદાજે 1 લાખથી 1.50 લાખ ભક્તો અને સાધુ-સંતોને જમાડવા માટેની રસોઈ તૈયાર કરવા માટે સરસપુરની 17 પોળમાં હજારોની સંખ્યામાં સ્થાનિકો સ્વંયભૂ રીતે જો ડાઈ જાય છે. આ દરમિયાન વિવિધ પોળમાં હજી પણ રોડ રસ્તા બનાવવાની કામગીરી ચાલી રહી છે. તેમજ કેટલાંક સ્થાનો પર પેવર બ્લોક માટેના રિપેરિંગની કામગીરી પણ ચાલું છે. જેના માટે જ્યાં બુધવારથી જળયાત્રા બાદ સરસપુરમાં ભગવાનનું આગમન થશે ત્યારે વિવિધ રોડ રસ્તાની કામગીરીના કારણે સ્થાનિકોની સાથે સાથે ભક્તોની મુશ્કેલીમાં પણ વધારો થઈ શકે છે.
રથયાત્રા પહેલાનો મહત્વની જળયાત્રા યોજાઈ છે તે દિવસે ભગવાન જગન્નાથને જમાલપુર નિજ મંદિરથી સરસપુરના રણછોડરાય મંદિરમાં રહે છે. આ દરમિયાન 11 જૂનથી 15 દિવસ સુધી સરસપુરના રણછોડરાય મંદિર ખાતે વિવિધ ભજનમંડળીઓ દ્વારા કાર્યક્રમ યોજાઈ છે. જેમાં મોટી સંખ્યામાં આસપાસના સ્થાનિકો ભાગ લેતા હોય છે. આ માટે સરસપુરની વિવિધ પોળોમાં હજી પણ તૈયારીના ભાગ રૂપે પેવર બ્લોક, સિમેન્ટના રોડ રસ્તા બનાવવાની તેમજ પાણીની લાઈન માટેની કામગીરી ચાલી રહી છે જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
What's Your Reaction?






