Ahmedabad: બુધવારે પડેલા વરસાદે પ્રિ-મોન્સૂન કામગીરી ધોઈ ચાર મહિના હાલાકી ભોગવવી પડશે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બુધવારે મોડી રાત્રે આવેલા વરસાદના કારણે પૂર્વના વિવિધ વિસ્તારોમાં તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ હતી.
જેમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવા અને વરસાદી પાણીનો નિકાલ ન થવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. આ દરમિયાન મે મહિનાનો અંત થયો પણ વરસાદ પહેલાની પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ કરવામાં તંત્ર સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યું છે. તંત્ર દ્વારા મોટા ઉપાડે રોડ, ગટર, પાણીની લાઇન અને વરસાદી પાણીની લાઇન તેમજ ખારીકટ કેનાલ અને તેના આસપાસના રોડ બનાવવાની કામગીરી હાથ દરી છે પરંતુ હાલની સ્થિતિમાં યુદ્ધ ધોરણે કામ કરવામાં આવે તો પણ આગામી અઠવાડિયા થી દસ દિવસમાં કામ પૂર્ણ થાય તેવી કોઈ જ શક્યતા લાગી રહી નથી. આ સ્થિતિમાં સ્થાનિકોએ ચોમાસાના ત્રણ થી ચાર મહિના ભારે હાડમારી ભોગવાવી પડી શકે છે.
એક તરફ મ્યુનિ. કમિશ્નર દ્વારા ચોમાસા પહેલા જૂના પેન્ડિંગ કામો પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવી છે ત્યારે પૂર્વના વિવિધ વિસ્તારોમાં પ્રિ-મોનસૂન પ્લાન હેઠળ તમામ ગટરો અને કેચપીટની સફાઈ કરવાની કામગીરી કે રોડ રસ્તાને રિપેરિંગ કરવાની કામગીરી પૂર્ણ થઈ નથી. જેમાં નિકોલ, ઠક્કરબાપા નગર, નરોડા, ઈન્ડિયા કોલોની, બાપુનગરથી લઈ વિરાટનગર, ઓઢવ, વટવા, રામોલ-હાથીજણ, ખોખરા સુધીના વિસ્તારોમાં સ્ટ્રોમ વોટર નાખવા માટેની અને ગટરના પાણીના નિકાલ માટેની કામગીરી હાલમાં પણ ચાલી રહી છે. જેના કારણે લોકોને વરસાદ પહેલાં જ હાલાકી પડી રહી છે તે ચોમાસામાં વધી શકે છે.
બીજી તરફ ખારીકટ કેનાલ અને તેના આસપાસના રોડને સમતોલ કરવા માટેની કામગીરી હજી સુધી હાથ ધરવામાં આવી નથી. જેના કારણે હાલના જ વરસાદમાં પાણી ભરાઈ જવાના કારણે કેનાલ નજીક ભારે ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. જ્યારે ચોમાસામાં ખારીકટની યોગ્ય રીતે સફાઈ ન થતાં કેનાલ ઉભરાઈ જવાની અને લોકોને ત્યાંથી પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે.
રોડ રસ્તા બેસી જવાની ફરિયાદ
ન્યૂ મણિનગરથી રામોલ તરફ જતા રોડ પર બે કિલોમીટરનો રસ્તો સામાન્ય વરસાદમાં જ બેસી ગયો છે. નોંધનીય બાબત એ છેકે બે મહિના પહેલાં જ રોડ બનાવાવમાં આવ્યો હતો. જેના કારણે તંત્રની ગુણવત્તા અને કોન્ટ્રાક્ટરની કામગીરી સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. આ પ્રમાણેની કામગીરીના પરિણામે લોકોની હેરાનગતિમાં વધારો ચોમાસા દરમિયાન પણ થઈ શકે છે.
ખોખરામાં સ્ટ્રોમ વોટરની લાઈન માટે લાંબા સમયથી ભૂંગળા રાખીને મુકવામાં આવ્યા છે. જ્યાં દર વર્ષે ચોમાસામાં પાણી ભરાઈ જવાની ફરિયાદ આવતી રહે છે અને તેના નિકાલ માટેની કામગીરી હજી સુધી શરૂ થઈ નથી.
What's Your Reaction?






