Ahmedabad: બારેજડી-નાંદેજ ક્રોસિંગ ફરી 10 દિવસ માટે બંધ કરતાં 30 ગામના લોકોને ભારે પરેશાની

Oct 7, 2025 - 01:00
Ahmedabad: બારેજડી-નાંદેજ ક્રોસિંગ ફરી 10 દિવસ માટે બંધ કરતાં 30 ગામના લોકોને ભારે પરેશાની

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દસક્રોઈના નાંદેજ અને બારેજડી રેલવે ફટક મુક્ત કરવા માટેના બ્રિજનો પ્લાન 2017થી જાહેર થયો છે, પરંતુ તે હજી પણ કાગળ પર જ રહ્યો છે.

આ માટેની કામગીરી તો પૂર્ણ ન થઈ ત્યાં 6 ઓક્ટો. થી 15 ઓક્ટો. સુધી 10 દિવસ માટે 299 નંબરનું ફાટક બંધ કરવામાં આવતાં સ્થાનિક 30 ગામના 12 હજારથી વધુ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આ માટે સ્થાનિકોએ મુખ્યમંત્રીથી લઈ રેલવે વિભાગને રજુઆત કરી બ્રિજની કામગીરી કરવા માંગણી કરી છે. આ અંગે ફરિયાદ કરતાં સ્થાનિકોએ જણાવ્યું કે, નાંદેજ અને બારેજડી અમદાવાદ, મુંબઈ રેલ્વે લાઈન ઉપર આવેલું છે, જેમાં રેલવે ક્રોસિંગ ઉપર ઓવરબ્રિજનું કામ કેમ બંધ કરાયું, ઝડપથી શરૂ કરવા માટે અવરનવર રજુઆત કરાઈ છે. આ વચ્ચે ફરીથી ફાટક નંબર 299 ને 6 ઓક્ટો. થી 15 ઓક્ટો. સુધી 10 દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે. જેના કારણે સ્થાનિકોએ અગવડ પડી રહી છે. આ રેલવે ઓવરબ્રિજ બનાવવા માટે 2017થી રેલવે, ઔડા, આર શ્ બી અને જીયુડીસી વચ્ચે અનેક વખતે વાત થયેલી છે પણ બનાવાની કામગીરી હજી સુધી શરૂ થઈ નથી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0