Ahmedabad: બાંકરોલમાં સાવકા પિતાએ પુત્રને લોખંડના સળિયા ફટકારી હત્યા કરી

Sep 29, 2025 - 02:00
Ahmedabad: બાંકરોલમાં સાવકા પિતાએ પુત્રને લોખંડના સળિયા ફટકારી હત્યા કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બાંકરોલમાં પહેલા પતિના સંતાનોને લઇને દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. જેમાં સાવકા પિતા બાળકો સાથે ઝઘડા કરીને માર મારતો હતો. બાદમાં સગીર પુત્ર જે કંપનીમાં સૂતો હતો ત્યાં જઇને લોખંડના સળિયાથી હુમલો કરીને સાવકા પિતાએ હત્યા કરી હતી. આ અંગે કણભા પોલીસે ગુનો નોધીને આરોપીની ધરપકડ કરી છે.

બાંકરોલમાં રહેતી રીતાદેવી રાજપૂતના પહેલા લગ્ન વર્ષ 2012માં ઓમકારસિંઘ રાજપૂત સાથે થયા હતા અને 13 વર્ષનો પુત્ર અર્પિત અને એક સગીર પુત્રી છે. પરંતુ બે વર્ષ પહેલા પતિ સાથે મનમેળ ન આવતા છુટાછેડા લીધા હતા. બાદમાં હરીઓમસિંઘ સાથે કોર્ટમેરેજ કર્યા અને રીતાદેવીના પહેલા પતિના બંને બાળકો હોવાથી હરીઓમસિંઘ અવારનવાર ઝઘડા કરતો હતો અને માર મારતો હતો. તેમજ સગીર પુત્ર સાવકા પિતાના ડરથી બે મહિનાથી કંપનીમાં સૂતો હતો. ગત 27 સપ્ટેમ્બરે રીતાદેવીએ પતિને મારે બાળકોને લઇને ગામડે જવુ છે કહેતા હરિઓમસિંઘ આજે તારા છોકરાને જીવતો નહિ છોડુ કહીને 13 વર્ષીય સગીર પુત્ર જે કંપનીમાં સૂતો હતો ત્યાં જઇને સૂતેલ પુત્ર પર લોખંડના સળિયાથી હુમલો કરીને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ અંગે રીતાદેવીએ પતિ સામે કણભા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0