Ahmedabad ના વિરાટ નગર ચાર રસ્તા પાસે બિલ્ડરની હત્યા, હુમલાખોરો છરીના ઘા ઝીંકીને થયા ફરાર

Sep 13, 2025 - 23:30
Ahmedabad ના વિરાટ નગર ચાર રસ્તા પાસે બિલ્ડરની હત્યા, હુમલાખોરો છરીના ઘા ઝીંકીને થયા ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદના વિરાટ નગર વિસ્તારમાં એક ગંભીર ગુનાનો બનાવ સામે આવ્યો છે. જ્યાં બિલ્ડર હિમ્મત રુડાણીની અજાણ્યા ઇસમો દ્વારા છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટના વિરાટ નગર ચાર રસ્તા પાસે બની હતી. જેનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. હુમલાખોરોએ અચાનક હિમ્મત રુડાણી પર છરી વડે હુમલો કર્યો હતો અને ગંભીર રીતે ઇજા પહોંચાડી હતી.

બિલ્ડર હિમ્મત રુડાણીની છરી મારીને કરાઈ હત્યા

હુમલા બાદ હત્યારાઓ ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બિલ્ડરને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ ઓઢવ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ હત્યા પાછળનું કારણ શું છે તે જાણવા માટે પોલીસે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી છે.

હત્યા અંગે લોકોમાં ભયનો માહોલ ફેલાયો

અંગત અદાવત, પ્રોપર્ટીનો વિવાદ કે અન્ય કોઈ કારણ છે કે કેમ તે અંગે પોલીસ વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા કર્યા છે. લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે અને તેઓ પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી કરીને હત્યારાઓને પકડવામાં આવે તેવી અપેક્ષા રાખી રહ્યા છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0