Ahmedabad: નરોડાનો પરિવાર મંદિરે દર્શન કરવા ગયો તસ્કરો 17.32 લાખની મતા ચોરી ફરાર

Aug 18, 2025 - 02:00
Ahmedabad: નરોડાનો પરિવાર મંદિરે દર્શન કરવા ગયો તસ્કરો 17.32 લાખની મતા ચોરી ફરાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

નરોડામાં રહેતા વેપારી સાતમ અને આઠમની રજા હોવાને પરિવાર સાથે રાજસ્થાન ખાતે આવેલ સાવરીયા શેઠ મંદિર ખાતે દર્શન કરવા માટે ગયો હતો. ત્યારે તેમના ઘરે તસ્કરો રોકડ, સોનુ-ચાંદી સહિત કુલ રૂ. 17.32 લાખની મત્તાની ચોરી પલાયન થઇ જતા વેપારીએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

નરોડામાં રહેતા 44 વર્ષિય દિનેશભાઇ પટેલ કેબલ મશીનરી અને વાયરનું કારખાનુ ધરાવે છે. 16 ઓગસ્ટે આઠમનો તહેવાર હોવાથી તેઓ પરિવાર સાથે રાજસ્થાનના સાવરીયા શેઠ મંદિરે દર્શન કરવા ગયા હતા અને મોડી સાંજે પરત આવ્યા હતા. તેમણે ઘર ખોલતાં જ જોયું કે, તેમના બેડરૂમનો દરવાજો ખુલ્લો હતો. અને વોડરોબનું લોક તૂટેલું હતું ઉપરાંત સામાન પણ વેરવિખેર પડયો હતો. તેમની માતા તથા પત્નીની બચતના 9 લાખ રૂપિયા તથા ધંધાકીય લેવડ દેવડના આવેલ પાંચ લાખ રૂપિયા સહિત સોના ચાંદીની 3.32 લાખ રૂપિયાની મત્તા ગૂમ હતી. આમ કુલ રૂ. 17.32 લાખની મત્તાની ચોરી અંગે તેમણે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી હતી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0